________________
ભારતીય ધર્મો. (૩) દ્રાવિડ સંપ્રદાય
દક્ષિણ ભારતના તામીલ પ્રદેશમાં ઘણા પ્રાચીનકાલથી શૈવધર્મ પ્રચલિત હતઆ સંપ્રદાયનું સાહિત્ય દ્રાવિડ ભાષામાં હોવાથી તે સંપ્રદાય દ્રાવિડસંપ્રદાય તરીકે ઓળખાવા લાગે. આ સંપ્રદાયમાં વેદાંતની વિચારસરણીને સ્વીકાર કરવામાં આવે છે. આ સંપ્રદાયમાં અનેક સંત ને આચાર્યો થયા છે. આ સંપ્રદાયને લગતા ગ્રંથમાંથી ૧૧ સંગ્રહો નોંધપાત્ર છે. તે તામીલ ભાષામાં લખાયેલા છે. અહીં શિવના ત્રણ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે?
(૧) ત્રિમૂર્તિમાંનું સંહારક શિવ સ્વરૂપ. (૨) શિવશક્તિનું પરમ જ્યોતિ સ્વરૂપ (૩) કૈવલ્યમય સ્વરૂપ.
આ મતના અનુયાયીઓ માને છે કે શિવ એ નિર્ગુણ નિરાકાર અને અવર્ણનીય છે. તેને ધ્યાન અને ભક્તિમાર્ગ દ્વારા પામી શકાય છે. (૪) કાશ્મીરીશૈવ સંપ્રદાય
શૈવસંપ્રદાયને જે ફાંટે કાશ્મીરમાં ફેલાયો તે કાશ્મીરી શૈવસંપ્રદાય તરીકે ઓળખાવા લાગે. આ સંપ્રદાય ત્રિકમત તરીકે પણ ઓળખાય છે. ત્રિકમતનું સાહિત્ય ત્રણ વિભાગમાં જોવા મળે છે : (૧) આગમશાસ્ત્ર (૨) સ્પંદશાસ્ત્ર (૩) પ્રત્યભિજ્ઞાશાસ્ત્ર. એમ કહેવાય છે કે ભગવાન શિવે આચાર્ય વસુગુપ્તને આ સૂત્રોને ઉપદેશ આપ્યો હતો. આ ગ્રંથે શૈવદર્શનને સાહિત્ય તરીકે ઓળખાય છે.
આ મતમાં શિવ એ જ પરમતવ ગણાય છે. શિવ તે રૌતન્યમય અને સત્યસ્વરૂપ છે. તે સર્વવ્યાપી, સર્વજ્ઞ અને સ્વયં પરિપૂર્ણ છે. આ પરમતત્વ પોતે પૂર્ણ હોવાથી એને સૃષ્ટિ રચવાની ઈચ્છા થતી નથી, પરંતુ જગતને તેની સૃષ્ટિને ખ્યાલ આવે તે હેતુથી તે સર્જન કરે છે. આ મતમાં જીવ એ જ શિવ છે એવો સિદ્ધાંત પ્રચલિત છે. અહીં શિવની સાથે તેની શક્તિની ઉપાસના કરવામાં આવે છે. (૫) વીર શૈવ અથવા લિંગાયત સંપ્રદાય
આ મતને પ્રસાર દક્ષિણ ભારતમાં કર્ણાટક પ્રદેશમાં વિશેષ હતો. કેટલાક આરાધ્ય બ્રાહ્મણ જતિના માદિરાજના પુત્ર બસ આ સંપ્રદાય સ્થાપ્ય એમ માને છે, પણ વીર શૈવ પિતે બસવને આ સંપ્રદાયના આદ્યસ્થાપક માનતા નથી, પણ બસ વીર શૈવ મતને પ્રચાર કર્યો એમ માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org