________________
હિંદુધર્મના વિવિધ સંપ્રદાય (સંક્ષિપ્ત પરિચય)
(૧) આ સંપ્રદાયમાં એક જ ઈશ્વરની કલ્પના કરેલી હેઈ જુદા જુદા દેવની ઉપાસના કરવાને બદલે એક જ દેવનું શરણું લેવાની વાત જનતાને વધારે ગમી. આ દેવ પિતાના કુટુંબીજન જે હેવાથી તેના તરફ લકે વધારે આદરભાવથી જેવા લાગ્યા.
(૨) આ સંપ્રદાયમાં ભગવાનની ભક્તિમાં વધારે ભાર મૂકવામાં આવ્યા છે. ભગવાનના ચરણે પોતાનું સર્વસ્વ ધરી દેવાની વાત અહીં વિસ્તૃત રીતે સમજાવી છે. નરસિંહ, મીરાં, સુરદાસ વગેરેએ આ પ્રકારની ભક્તિ કરી હતી.
(૩) આ સંપ્રદાયમાં એક એવી માન્યતા પ્રચલિત છે કે જે તમે તમારું સર્વસ્વ ભગવાનને ચરણે ધરી દે તે ભગવાન તમને મદદ કર્યા વિના રહેતા નથી. આ ધર્મના શાસ્ત્રોમાં અનેક સંતને આ પ્રકારની મદદ મળ્યાની કથાઓ આપેલી છે.
(૪) આ સંપ્રદાયમાં ગૂઢ તત્ત્વજ્ઞાનને અવકાશ ન હોવાથી તેમ જ અટપટી, વિધિઓ ન હોવાથી અભણ અને ઓછું ભણેલી પ્રજા માટે કેવળ ભક્તિ-પરમાત્માને પામવા-માટેનું વધારે સરળ સાધન બન્યું.
(૫) આ સંપ્રદાયમાં ભગવાન વિષ્ણુના અવતારની વાત વધારે પ્રતિષ્ઠિત થયેલી જોવા મળે છે. ભગવદ્ગીતામાં કહ્યું છે કે “જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપ વધી જાય છે, ધર્મને નાશ થાય છે, ત્યારે ત્યારે પાપીએના વિનાશ માટે અને સતપુરુષોના રક્ષણ માટે ભગવાન અવતાર ધારણ કરે છે.” વિૌષ્ણવધર્મની વિવિધ શાખાઓ
સમય જતાં આ સંપ્રદાયમાં પણ વિવિધ વિચારસરણને લીધે વિવિધ શાખાઓ પડી ગઈ. ધીરેધીરે તે પણ સ્વતંત્ર સંપ્રદાય તરીકે ઓળખાવા લાગી. આ શાખાએઃ (૧) શ્રીસંપ્રદાય (૨) નિમ્બાર્કસંપ્રદાય (૩) મવસંપ્રદાય (૪) પુષ્ટિસંપ્રદાય (૫) ચૈતન્યસંપ્રદાય (૬) ઉદ્ધવ અથવા સ્વામીનારાયણસંપ્રદાય વગેરે નામે પ્રચલિત બની. (૧) શ્રી સંપ્રદાય
શંકરાચાર્ય પછી રામાનુજે જે ભક્તિમાર્ગ પ્રવર્તાવ્યું તે શ્રીસંપ્રદાય તરીકે ઓળખાય છે. તેઓ પોતે અળવાર સંપ્રદાયના હતા. અળવાર એટલે શુદ્ધ “જ્ઞાની.' અળવારે વિષ્ણુભક્ત હતા. રામાનુજે પિતાની ભક્તિમાં વિષ્ણુપત્ની લક્ષ્મીની ભક્તિ ઉપદેશી તેથી તેમને સંપ્રદાય શ્રીસંપ્રદાય” તરીકે ઓળખાયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org