________________
ભારતીય ધર્મો
હું શું જાણું જે વહાલે ભુજમાં શું દીઠું વારે વારે સામું ભાળે મુખ લાગે મીઠું
ચીત તું શીદને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે
ઊભા રહો તે કહું વાતડી બિહારીલાલ, તમ માટે ગાળી છે મેં જાતડી બિહારીલાલ !
શ્યામ રંગ સમીપે ન જાવું મારે આજ થકી તેમણે પુષ્ટિસંપ્રદાયને લગતા અનેક ગ્રંથો રચ્યા છે. તેમાં “રસિકવલ્લભ' અને “ભક્તિપોષણ એ નેંધપાત્ર ગ્રંથ છે. તેઓ ગુજરાતમાં બંસીબલ'ના હુલામણું નામે પ્રખ્યાત છે. આ સંગીતપ્રેમી કવિએ પ્રેમપ્રગ૯ભ બનીને કૃષ્ણજીવનના અનેક પ્રસંગે શૃંગારરસમાં ઉતારેલ છે.
ગુજરાતની જેમ મહારાષ્ટ્રમાં પણ અનેક સંતોએ ભક્તિનું ઝરણું વહેતું કર્યું હતું. મહારાષ્ટ્રની સંતપરંપરામાં એકનાથ, જ્ઞાનદેવ, નામદેવ, તુકારામ અને રામદાસ સ્વામી વગેરે નેધપાત્ર સંતે છે. એકનાથે વર્ણભેદ સ્વીકાર્યું નથી. તેમણે ભાગવતનું કાવ્યમાં રૂપાંતર કર્યું. જ્ઞાનદેવ નાથસંપ્રદાયના પ્રચારક હતા. તેમણે મરાઠીમાં લખેલી ગીતા “જ્ઞાનેશ્વરી' તરીકે ઓળખાય છે. સંત નામદેવ એ જ્ઞાનદેવના સમકાલીન હતા. જ્ઞાનદેવની જેમ તેમની ભક્તિ પણ જ્ઞાન અને વૈરાગ્યથી ભરપૂર છે. નામદેવે વિઠોબાની ભક્તિ છેક પંજાબ સુધી લોકપ્રિય બનાવી. શિવાજીના ગુરુ સમર્થ રામદાસ સ્વામીએ મહારાષ્ટ્રના સમાજમાં ધર્મનું મૈતન્ય ટકાવી રાખવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. તેમને ઉપદેશ “દાસબોધ” નામના ગ્રંથમાં સંગ્રહવામાં આવેલ છે.
સંત તુકારામ મહારાષ્ટ્રના ઘણું જ લોકપ્રિય સંત છે. મહારાષ્ટ્રની સામાન્ય જનતા ઉપર તેમની વાણીની જાદુઈ અસર વર્તાય છે. પંઢરપુરના વિઠેબાના તે પરમભક્ત. તેમનાં ભજને તેમના અનુભવ પર રચાયેલાં છે. તેમાં ઈશ્વરમાં અસીમ શ્રદ્ધા, પિતાની ત્રુટીઓ, ભગવાન માટેની તીવ્ર આરજૂ વર્તાય છે. તેમનાં કાવ્ય અભંગે તરીકે ઓળખાય છે. આ અભંગે ઘણું જ ઊંચી કક્ષાના છે અને મહારાષ્ટ્રની સામાન્ય જનતામાં તેની તીવ્ર અસર પડેલી છે. તેમના આ અંગે મરાઠી સાહિત્યનું -સર્વોત્તમ ધન ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org