SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય ધર્મ મેાક્ષની ઇચ્છા કરતા નથી પણ ફરી ફરી ભક્તિ કરવાની તક મળે એમ ઇચ્છતા હોય છે. આથી જ તે એક પદમાં કહે છે કે ૫૮ હરિના જન તે! મુક્તિ ન માગે માગે જનમજનમ અવતાર રે” તેમનુ વૈષ્ણવજનનું પદ તા ગાંધીજીનું પરમ પ્રિય પ૬ હતું. તે આજે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પામ્યું છે. નરસિંહનાં પ્રભાતિયાં આજે પણ ગુજરાતમાં ઘેરઘેર ગવાય છે. નરસિંહ પછી આવે છે મીરાંબાઈ. તે રજપૂત કન્યા હોવા છતાં અને સાસરિયાં શિવભક્ત હોવા છતાં આ સ્ત્રીકવિએ ગિરધરગેાપાલની ભક્તિના મહિમા ગાયા. નરિસ ંહની જેમ કૃષ્ણભક્ત મીરાંનાં પદો પણ ભારતભરમાં ઘેરઘેર ગવાય છે. સુરદાસની રચનાએની જેમ તેમની રચનામાં પણ કૃષ્ણમિલનની આરજૂ અને તીવ્ર વિરહવેદના વર્તાય છે, તેઓ એક પદમાં કહે છે કે પ્રેમની, પ્રેમની, પ્રેમની રે મને વાગી કટારી પ્રેમની’ તા ખીજા એક પદમાં કહે છે કે મેરે તે ગિરધરગેાપાલ, દૂસરા ન કાઈ” ........ મને ચાકર રાખાજી ગિરધારી લાલા ચાકર રાખેાજી ચાકર રહીશું ..... નીત ઊઠે દરશન પા વૃંદાવનમાં મીરાંબાઈ શ્રી ગેાંસાઈજીને ઠપકા આપતાં કહે છે કે “આજ લગી એમ હું જાતી કે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક, વૃંદાવન વસી હજી પુરુષ રહ્યા છે. ધન્ય તમારા વિવેક” મીરાંબાઈ પછી આવે છે વેદાંતી કવિ અખા. તે પેતે અમદાવાદના સાની હતા. તે રાજ્યની નેકરીમાં હોવા છતાં જ્ઞાતિજનાના વર્તાવથી તેને સસ્પેંસાર પર વૈરાગ્ય જાગ્યા હતા. ગુરુંની શોધ તેણે અનેક તીર્થોમાં કરી પણ સત્ર તેને સાધુસતામાં આડંબર અને પાખંડ દેખાયાં. તેણે પોતાના છપ્પા દ્વારા સાધુસ તાનાં પાખડા ખુલ્લાં પાડવાં, તેના છપ્પાઓમાં સીધા જ્ઞાનમાર્ગ જોવા મળે છે. તે એક પદમાં કહે છે કે Jain Education International તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં. તીરથ ફરી ફરી થાકયાં ચરણુ, તાય ન પહાંચ્યા હરિને શરણુ’ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy