________________
પ૭
પ્રચલિત છે. કહેવાય છે કે પત્ની ઉપરના અતિશય મેહમાંથી તેમનામાં વૈરાગ્યભાવ જાગે. સંસાર ઉપર તિરસ્કાર ઉત્પન્ન થતાં તેમણે પોતાના સ્વહસ્તે પિતાના ચક્ષુને નાશ કર્યો હતો.
તેઓ કૃષ્ણના પરમ ભક્ત હોઈ, તેમણે પિતાનાં કાવ્યો દ્વારા કૃષ્ણભક્તિને મહિમા ગાય. કૃષ્ણભક્ત કવિઓમાં સુરદાસ સમગ્ર ભારતમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. તેમનાં પદમાં કૃષ્ણભક્તિ અને શૃંગારરસને સુમેળ સધાયેલ છે. તેમણે કૃષ્ણની બાળલીલાઓને સુંદર ચિતાર પોતાના કાવ્ય દ્વારા આપે છે. તેમનાં કાવ્ય કૃષ્ણભક્તિથી તરબોળ હોવા છતાં તેમાં ઈશ્વરમિલનની તીવ્ર અરજૂ દેખાય છે. તેઓ એક પદમાં જણાવે છે કે
અખિયાં હરિદરસન કી પ્યાસી. દેખો ચાહત કમલનયન કે નિશદિન રહત ઉદાસી” તેમના બીજા એક પદમાં તેમણે કહ્યું છે કે “સબસે ઊંચી પ્રેમ સગાઈ" આ દ્વારા ભક્ત પ્રભુની સાથે સાચી સગાઈ બાંધવા તત્પર છે એમ રજૂઆત કરી ભક્તિ દ્વારા જીવનમાં આનંદ અને ઉલ્લાસ મેળવાય છે તેમ તેઓ જણાવે છે.
તેમની રચનાઓ “સૂરસાગર' નામના ગ્રંથમાં સંગ્રહવામાં આવી છે. સુરદાસનાં પદે કેવળ હિંદી સાહિત્યનું નહિ પણ સમગ્ર ભારતીય સાહિત્યનું અણમોલ ઘરેણું છે. આજે પણ ભારતનાં અનેક વૈષ્ણવમંદિરમાં સવારસાંજ કીર્તનરૂપે સુરદાસનાં પદે વિવિધ રાગોમાં ગવાય છે. કહેવાય છે કે મુગલ બાદશાહ અકબર પણ સુરદાસનાં પદેથી ઘણું જ પ્રભાવિત થયા હતા. અન્ય સંતે
ઉત્તર ભારતની જેમ ગુજરાતમાં પણ તેની સરવાણી ફૂટી હતી. આ સંતપરંપરામાં નરસિંહ, મીરાં, અખે અને દયારામ વગેરે ભક્તકવિઓ નોંધપાત્ર છે. ગુજરાતને અમૂલ્ય વારસો છે.
નરસિંહ મહેતા એ જૂનાગઢના નાગર હતા. તેમના જીવનની આસપાસ અનેક દંતકથાઓ વણી લેવામાં આવી છે. ભાભીના મહેણને કારણે તેમણે ગૃહત્યાગ કર્યો અને સાધુસંતોને સમાગમથી કૃષ્ણભક્ત બન્યા. નરસિંહે વ્યવસ્થિત શિક્ષણ લીધું ન હતું છતાં તેમની રચનામાં તત્વજ્ઞાનની ઊંડી સૂઝ મળે છે. એક પદમાં કહે છે કે “નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્મ, એ જ હું એ જ હું શબ્દ બેલે” નરસિંહ જ્ઞાની હોવા છતાં ભગવાનને ભક્ત હતા અને ભક્તો કદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org