________________
ભારતીય ધર્મો
નાનકે
શીખધર્મના સ્થાપક પંજાબને આ સંત કબીરના સમકાલીન હતા (ઈ. સ. ૧૪૬૯થી ૧૫૩૮) કબીર અને નાનકના ઉપદેશમાં ઘણું જ સામ્ય રહેલું તેઓ પિતાના ગૃહસ્થજીવન દરમ્યાન અનેક હિંદુમુસ્લિમ સંતિના પરિચયમાં આવ્યા હતા. આથી તેમના પર હિંદુ સંતોને ઉપદેશ તથા સૂફીસંતોના તત્ત્વજ્ઞાનની વધારે અસર પડી હતી.
તેમણે પિતાના ઉપદેશમાં એકેશ્વરવાદ અને ગુરુમહિમા ગાયો છે. તેમણે સમાજને જપયજ્ઞનું મહત્વ સમજાવી ભક્તિમાર્ગને મહિમા વધાર્યો. તેમને ઉપદેશ જ૫છના નામે ઓળખાય છે. તેઓ વર્ણભેદ કે મૂર્તિપૂજાને સ્વીકારતા નથી. તેઓ જીવનની પવિત્રતાને કર્મકાંડ કરતાં વધારે મહત્ત્વ આપે છે. સંન્યાસને મહત્ત્વ આપતા નથી પણ ગૃહસ્થજીવનના આદર્શો અપનાવી સત્યની શોધના માર્ગે જવાનું કહે છે.
તેમણે પિતાના જીવનકાળ દરમ્યાન ભારત અને ભારત બહારનાં અનેક તીર્થસ્થાનમાં પર્યટને કરી પિતાના જપયજ્ઞને મહિમા ગાવે. તેના પરિણામે હિંદુમુસ્લિમ અનેક તેમના શિષ્ય બન્યા. તેમણે હિંદુમુસ્લિમ એકતા સાધવા સમગ્ર જીવનકાળ દરમ્યાન પ્રયત્ન કર્યા. તુલસીદાસ
તુલસીદાસે વાલ્મીકિ રામાયણની મૂળકથાને વફાદાર રહી પોતાની આગવી રીતે સમાજમાં રામમહિમા ગા—-રામભક્તિને મહિમા વધાર્યો. આજે પણ ઉત્તર ભારતમાં તુલસીકૃત રીવરિતમાનસની ચોપાઈઓ ઘણી જ લોકપ્રિય છે. તેઓ જન્મે કાન્યકુશ્વના બ્રાહ્મણ હતા.
તેમણે રામાયણને એક વિશાળ ધર્મગ્રંથ તરીકે સમાજની આગળ રજૂ કરી ભક્તિમાર્ગને વિકસાવ્યું. રામાયણ દ્વારા તેમણે ગૃહસ્થજીવનના આદર્શો સમાજને સમજવ્યા. “રામચરિતમાનસ’ એ તેમની અત્યંત કપ્રિય રચના છે. તેમણે પોતાના ઉપદેશમાં નામસ્મરણ અને ગુરુને મહત્વ આપી સમાજના નીચલા વર્ગને લોકભાષામાં ભક્તિને મહિમા ભજનો દ્વારા સમજાવી વર્ણભેદને દૂર કરવા પ્રયત્ન કર્યા. સુરદાસ
- ભક્તિરસથી મહેકતું આ યુગનું ઉત્તમ પુ૫ તે ભક્ત સુરદાસ. તેમનું જન્મનામ બિલ્વમંગલ હતું. તેમના ગૃહસ્થજીવન વિશે કેટલીક દંતકથાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org