________________
પર
ભારતીય ધર્મો વિનાનું છે. બ્રહ્મને ભાગવતમાં ભગવાન કહેવામાં આવે છે. વલ્લભાચાર્ય ભગવાનને શ્રીકૃષ્ણના નામે ઓળખાવે છે.
(૨પરમાત્માને પામવાને એકમાત્ર ઉપાય તે ભક્તિ છે. ભક્તિના બે પ્રકાર છે: (૧) મર્યાદાભક્તિ – શાસ્ત્રની મર્યાદામાં રહીને કરાતી ભક્તિ. (૨) પુષ્ટિ-. ભક્તિ – ભગવાનની કેવળ કૃપા મેળવવા ખાતર કરાતી ભક્તિ. પુષ્ટિમાર્ગમાં સેવાના ત્રણ ભેદ બતાવવામાં આવેલ છે:
(૧) તનુજા – પોતાના શરીર વડે ઈશ્વરની સેવા કરવી.
(૨) વિત્તજા–ધન આપીને ઈશ્વરની સેવા કરવી–ભગવાનને વસ્ત્રો પહેરાવવાં. અલંકારે પહેરાવવાં વગેરે.
(૩) માનસી–મનથી ઈશ્વરભક્તિ કરવી.
ટૂંકમાં પુષ્ટિમાર્ગમાં બ્રહ્માનંદ કરતાં ભજનાનંદ પર વધુ ભાર મૂક્યો છે. ભાગવતધર્મને ભારતભરમાં પ્રતિષ્ઠિત કરવામાં વલ્લભાચાર્યને ફાળે નેંધપાત્ર છે. તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં ભાગવતકથાનું પારાયણ કરતા હોવાથી એ સર્વ જગ્યાએ આજે મહાપ્રભુજીની બેઠકે તરીકે ઓળખાય છે. ચૈતન્ય
બંગાળમાં ઈ. સ. ૧૪૮૫માં જન્મેલ આ આચાર્ય “ગૌરાંગ”ના નામે ભારતમાં પ્રસિદ્ધ છે. એમના પિતાનું નામ જગન્નાથ મિશ્ર અને માતાનું નામ સચદેવી, હતું. નિબના વૃક્ષ પાસે તેમને જન્મ થયેલ હોવાથી તે “નિમઈ' તરીકે પણ ઓળખાતા. તેમણે ભારતભરમાં ફરીને રાધાકૃષ્ણની ભક્તિને મહિમા ગાયે. શંકરાચાર્યના, જ્ઞાનમાર્ગ અને માયાવાદનું ખંડન કર્યું આ મહાન આચાર્ય તેમના સંપ્રદાયમાં શ્રીકૃષ્ણના અવતાર મનાય છે.
તેમના સિદ્ધાંતો નીચે પ્રમાણે છે :
(3) નવ વસ્તુઓ “પ્રમેય’ કહેતાં જાણવાની છે. આ નવ વસ્તુઓ તે (૧) હરિ એ જ એક તત્તવ છે. (૨) હરિ સર્વશક્તિ વિશિષ્ટ છે. (૩) હરિ સકલ રસને સમુદ્ર છે. (૪) જીવ હરિના અંશ છે. (૫) એમાંના કેટલાક બદ્ધ છે. (૬) કેટલાક મુક્ત છે. (૭) ચરાચર વિશ્વમાં એના ભેદ અને અભેદને પ્રકાશ થાય છે. (૮) શુદ્ધ ભક્તિ મોક્ષ માટેનું સાધન છે. (૯) ભગવાનને પ્રેમ એ જ પરમ પ્રયોજન છે.
() પરમાત્મા પ્રાપ્તિનું સાધન જ્ઞાન નહિ પણ “રુચિ છે. રુચિ એટલે પરમાત્મા માટે સારો ભાવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org