SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુધર્મ (૧) પાંચ પદાર્થો–ઈશ્વર અને જીવ, ઈશ્વર અને જડ, જીવ અને જડ, જીવ ને જીવ તેમ જ જડ ને જડ વચ્ચે સનાતન ભેદ છે. (૨) જગતમાં સ્વતંત્ર અને પરતંત્ર એવાં બે તવે છે. સ્વતંત્ર તત્ત્વ તે પરમાત્મા વિષ્ણુ અને પરતંત્ર તત્ત્વ તે જીવાત્મા. મધવાચાર્યો પિતાની વિચારસરણીમાં વિષ્ણુની સેવાને ત્રણ પ્રકાર બતાવ્યા છે? (૧) અંકન—પોતાના શરીર પર વિષ્ણુનાં આયુધ-શંખ, ચક્ર, ગદા, પદ્મ વગેરેની છાપ લગાવવી. (૨) નામકરણ–પિતાનાં સંતાનોને ભગવાનનું નામ આપવું. (3) પ્રાર્થના–ભજનકીર્તન દ્વારા ભગવાનનું સ્મરણ કરવું. ટૂંકમાં રામાનુજ કરતાં મુખ્ય કેટલેક અંશે જુદા પડે છે. આમ છતાં રામાનુજના ધણું સિદ્ધાંતો સાથે સામ્ય ધરાવે છે. વાચાર્યની આ વિચારસરણું બહુ લોકપ્રિય બની ન હોવા છતાં તેણે ભાગવતધર્મને નવા સ્વરૂપે પ્રતિષ્ઠિત કરવામાં ઘણો નોંધપાત્ર ફાળો આપે છે. એમનાં દર્શને અને ભક્તિસંપ્રદાયે ભારતવર્ષના સાંસ્કૃતિક ઈતિહાસમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વલભાચાય આચાર્ય પરંપરાના આ પાંચમાં નેધપાત્ર આચાર્યો, જ્યારે ચારેબાજુ સંન્યાસને પવન ફૂંકાઈ રહ્યો હતો ત્યારે ગૃહસ્થાશ્રમને મહિમા ગાયે. તેમણે ભારતભરમાં અનેક સ્થળેએ ભાગવત પારાયણે કરી કૃષ્ણભક્તિનો મહિમા વધાર્યો. તેમણે જ્યાં જ્યાં ભાગવત પારાયણ કર્યું, તે સર્વ સ્થળે વૈષ્ણવ સંપ્રદાયમાં મહા પ્રભુજીની બેઠક તરીકે ઓળખાય છે. તેમને મત પુષ્ટિમાર્ગ તરીકે ઓળખાય છે. ઈ. સ. ૧૪૭૩માં મધ્ય પ્રાંતના રાયપુર જિલ્લાના ચંપારણ્ય ગામમાં જન્મેલા વલ્લભાચાર્યને પિતાનું નામ લક્ષ્મણ ભટ્ટ અને માતાનું નામ ઇલ્લમાગાર હતું. વલ્લભાચાર્યું બહુ જ નાની ઉંમરે વેદ, ઉપનિષદ વગેરે શાસ્ત્રગ્રંથેને અભ્યાસ કર્યો હતો. તેમને શંકરાચાર્યના માયાવાદમાં દેષ જણાતાં વિજયનગરના રાજવી કૃષ્ણદેવરાયની ધર્મસભામાં માયાવાદનું ખંડન કર્યું. આ પછી તેમણે અનેક સ્થળોએ ફરીને પિતાના મત શુદ્ધાદ્વૈતવાદને પ્રચાર કર્યો. આ મતના સિદ્ધાંત નીચે પ્રમાણે છે: (૧) અદ્વૈત પદાર્થ બ્રહ્મ તે સદા શુદ્ધ છે. બ્રહ્મ અનંત મૂર્તિ છે, તે ફૂટસ્થ છે, ચલાયમાન છે. તે કેવળ બુદ્ધિથી જાણી શકાય નહિ. બ્રહ્મનું સ્વરૂપ દેષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy