________________
ભારતીય ધર્મો નિમ્બાર્ક
દક્ષિણના આચાર્યોમાં નિમ્બાર્કનું નામ નોંધપાત્ર છે. નિમ્બાર્ક પ્રેમલક્ષણ ભક્તિનો મહિમા ગાય. તેમને જન્મ ઈ. સ. ૧૧૬૪માં દક્ષિણ ભારતના વૈદૂર્યપત્તનની નજીક અરુણ આશ્રમમાં થયો હતો. તેમના પિતાનું નામ અરુણ મુનિ કે જગન્નાથ અને માતાનું નામ જયંતીદેવી હતું. તેઓ નિમ્બ ગામના હોવાથી નિમ્બાર્ક તરીકે ઓળખાતા. કેઈ એમને નિયમાનંદ કહે છે. તેમનું કાર્યક્ષેત્ર ઉત્તર ભારતમાં મથુરા અને તેની આસપાસ હતું. આ આચાર્યો “વેદાંત પારિજાત' નામની વેદાંગ પરની ટીકા અને “સિદ્ધાંતરત્ન” નામને ગ્રંથ રચ્યું છે. તેમણે રાધાકૃષ્ણની ભક્તિને મહિમા વધાર્યો.
નિમ્બાર્કને સંપ્રદાય તે દૈતાદ્વૈત સંપ્રદાયના નામે ઓળખાય છે. તેમના મત મુજબ જીવ તે પરમાત્માથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. જીવાત્મા જ્ઞાનસ્વરૂપ અને ચૈતન્યરૂપ છે. તે જ્યાં સુધી પરમાત્માની ભક્તિ કરતા નથી ત્યાં સુધી પરમાત્માથી ભિન્ન છે. ભક્તિ દ્વારા તે અભિન્ન બની જાય છે. તે કર્મ વડે બંધાતો હોવાથી જ્ઞાતા, હર્તા અને ભક્તા છે. જીવાત્માના ત્રણ ભેદ છે: (૧) બદ્ધ (૨) બહુમુક્ત (૩) મુક્ત. આ સંપ્રદાયમાં ભક્તોના ત્યાગી અને ગૃહસ્થ એવા બે વિભાગ છે. સંસારમાં રહીને જે લેકે ભકિત કરે છે તે ગૃહસ્થી અને સંસાર છોડી જે ભક્તિ કરે છે તે ત્યાગી તરીકે ઓળખાય છે. અહીં કૃષ્ણને પરમાત્મા તરીકે સ્વીકારેલ છે. પ્રસિદ્ધ સંગીતરત્ન તાનસેનના ગુરુ બાબા હરિદાસ આ સંપ્રદાયના હતા. અધ્યાચાય
ઈ. સ. ૧૧૯૯માં દક્ષિણ કાનડાના ઉડિપિ જિલ્લાના બેલા ગામમાં જન્મેલા મવાચાર્યને સંપ્રદાય દક્ષિણ ભારતમાંથી શરૂ થઈને પશ્ચિમ અને ઉત્તર ભારતમાં પ્રસરેલો નજરે પડે છે. તેમના પિતાનું નામ વાસુદેવ અને માતાનું નામ વેદવતી હતું. બાળપણમાં પિતાના વતનમાં જ વેદનું જ્ઞાન મેળવ્યું. તેમને અભ્યાસ કરતાં મેદાની રમતમાં વધારે રસ હોવાથી શરૂઆતમાં અભ્યાસમાં જોઈએ તેવી પ્રગતિ ન કરી શક્યા, પણ ગુરુ અષ્ણુત પ્રેક્ષાચાર્ય પાસે સંન્યસ્તની દીક્ષા લીધા બાદ તેમનામાં ઘણું જ પરિવર્તન આવ્યું. તેમને વેદાંતસમ્રાટનું બિરુદ આપવામાં આવ્યું. તેમને સંપ્રદાય સત-સંપ્રદાય અને મત દૈતવાદ તરીકે ઓળખાય છે. તેમણે પિતાના સિદ્ધાંત સમજાવવા ઉપનિષદે, શ્રીમદ્ ભગવદ્ગીતા અને બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખ્યાં. ૮૦ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું. તેમના દૈતવાદના સિદ્ધાંત નીચે પ્રમાણે છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org