________________
હિંદુધર્મ
જણાવ્યું છે. તેમના મતમાં નારાયણ પિતા અને લક્ષ્મી માતા છે. સકલ છે તેમનાં સંતાને છે. રામાનુજના મત મુજબ પરમ તત્તવ ઈશ્વર તે જડ અને ચેતન પદાર્થોથી ભિન્ન એવું વિશિષ્ટ તત્ત્વ છે. તે સર્વે જીવોનું કલ્યાણ કરે છે. તે વૈકુંઠમાં વસે છે. તેની ભક્તિ મોક્ષ માટે આવશ્યક છે. ડે. સર્વપલ્લી રાધાકૃષ્ણન કહે છે કે રામાનુજને ભગવાન કેઈ ઊંચી અટારીએ બેસીને જોયા કરતે નિષ્ક્રિય દેવ નથી, તે તે આપણું જીવનમાં ભળેલ છે. સંસારની નવરચના માટે સદાય સક્રિય છે.'
રામાનુજે વેદાર્થસંગ્રહ, ગીતા ઉપર ભાષ્ય, શ્રીભાષ્ય વગેરે નોંધપાત્ર ગ્રંથ રચ્યા છે. વેદાર્થસંગ્રહમાં તેમણે ઉપનિષદના અદ્વૈતવાદી મતનું ખંડન કરેલ છે. શ્રીભાષ્યમાં તેમણે વિષgવસંપ્રદાયના પાયાના તત્ત્વજ્ઞાનની ચર્ચા કરેલ છે. તેમને મુખ્ય ઉદેશ તરવજ્ઞાન અને ભક્તિને સુમેળ સાધી ઈશ્વર, જીવાત્મા અને પ્રકૃતિને સંબંધ સમજાવવાનો હતો. આમ રામાનુજનું તત્વજ્ઞાન શંકરના અતવાદથી જુદું પડતું હોવાથી વિશિષ્ટાદ્વૈતવાદ તરીકે ઓળખાયું. તેમાં અવતારવાદનું મહત્તવ વિશેષ હોવાથી જ્ઞાન કરતાં તેમણે ભક્તિનો મહિમા વધારે ગાયે છે. તેમના મત મુજબ ભક્તિ સાધનાને ઊંચે અને મહત્તવને માગે છે. તેમાં ઈશ્વરના સ્વરૂપ માટેને પ્રેમ ઈશ્વર અને આત્માને સંબંધ એાળખવામાં મદદગાર બને છે. તેમણે પ્રબંધેલે ભક્તિ સાથે પ્રપત્તિને સિદ્ધાંત, એટલે કે ઈશ્વરને સર્વસ્વ સમર્પણ કરવાને સિદ્ધાંત સમગ્ર માનવજીવનને ઘણું જ ઉપયોગી છે.
આમ રામાનુજે સવર્ણોના ધર્મ વિશેના ખ્યાલે અને હકકોને જાળવીને નીચલા વર્ગ માટે મેક્ષનાં દ્વાર ભક્તિ દ્વારા ખુલ્લાં કરવાનો પ્રયત્ન કર્યો. તેમના ઉપદેશથી આકર્ષાઈ નીચલા વર્ગના અનેક લોકે તેમના સંપ્રદાયમાં ભળ્યા. તેમણે સનાતન ધર્મના સિદ્ધાંતોને અવગણ્યા વગર સમાજના નીચલા થરના લેકેને વૈષણવસંપ્રદાયના આચારે પાળતા કર્યા.
ટૂંકમાં રામાનુજે પિતાના શ્રીસંપ્રદાય દ્વારા સમગ્ર ભારતમાં વિશિષ્ટાદ્વૈતવાદને પ્રચાર કરી ભક્તિભાવના વિકસાવી. તેમણે લેકેમાં ઈશ્વરને સર્વસ્વ સમર્પણ કરી ભક્તિ કરવાની વૃત્તિ જાગ્રત કરતાં તેમના સંપ્રદાયના અનુયાયીઓમાં ત્યાગની ભાવના વિકસી. તેમણે પોતાના જીવનકાળ દરમ્યાન ભારતભરમાં ફરીને ભાગવત ધર્મની પ્રતિષ્ઠા વધારી. આના પરિણામે વૈષ્ણવ સંપ્રદાયને સારા વિકાસ થયે.
ભા. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org