________________
૪૮
ભારતીય ધર્મો ભજગોવિંદ નામના પદમાં કહે છે કે “હે મૂઢમતિ મૃત્યુ આવશે ત્યારે ગોખેલું વ્યાકરણ (શાસ્ત્ર) કામ નહિ લાગે માટે તું ગોવિંદની ભક્તિ કર.” તેમના માયાવાદના ઉપદેશમાં ગૌતમબુદ્ધના ઉપદેશની અસર વર્તાય છે તેથી તેઓ પ્રચ્છન્ન બુદ્ધ કહેવાય છે. તેમના કાર્યની પ્રશંસા કરતાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન કહે છે કે, He was the master mind of the master land." રામાનુજાચાર્ય
બીજા આચાર્ય તે રામાનુજાચાર્ય. આપણું આર્યસંસ્કૃતિની સનાતન ગંગામાં ભાગવતધર્મ એક અત્યંત પ્રાચીન અને પાવનકારી પ્રવાહ છે. વેદકાલથી ચાલી આવેલા આ પ્રવાહે આપણુમાં એકતા, વિશાળતા અને માનવતાનું સિંચન કર્યું છે. ભક્તિ એ ભાગવતધર્મને પ્રાણ છે. ભક્તિમાર્ગને શૈવ, શાક્ત અને વણવ એવા ત્રણ માર્ગો છે. શંકરાચાર્ય પછી દક્ષિણમાં જે આચાર્યો થયા તેમણે ભાગવતધર્મની ભક્તિને પિતાના ઉપદેશમાં પ્રથમ સ્થાન આપ્યું.
આ અચાને પ્રથમ સંપ્રદાય અળવાર સંપ્રદાય છે. અળવાર શબ્દનો અર્થ આધ્યાત્મિક જ્ઞાનના સમુદ્રમાં ડૂબકી મારનાર એ થાય છે. અળવાર પરંપરાના પ્રથમ આચાર્ય નાથ મુનિ હતા. ત્યાર પછી યમુનાચાર્ય અને રામાનુજ થયા. રામાનુજને જન્મ ઈ. સ. ૧૦૧૭માં મદ્રાસ ઇલાકાના પેરુમબુદૂર ગામમાં થયે હતા. તેમના પિતાનું નામ કેશવ ભટ્ટ અને માતાનું નામ કાતિમતી હતું. પ્રાથમિક શિક્ષણ પિતા પાસે મેળવી રામાનુજે યાદવ પ્રકાશ નામના ગુરુ પાસે કેટલોક સમય અભ્યાસ કર્યો. અહીં તેમને ગુરુ સાથે મતભેદ પડતાં કાંચીના યમુનાચાર્ય પાસે અભ્યાસ અર્થે ગયા. તેમની પાસેથી તેમણે વિશિષ્ટાદ્વૈતવાદનું જ્ઞાન મેળવ્યું. વેદાંત ઉપર તેમણે વેદાંતસાર.” “વેદાંતસંગ્રહ” અને “વેદાંતદીપ’ નામના ત્રણ ગ્રંથે રચ્યા છે. રામાનુજને સંપ્રદાય “શ્રી સંપ્રદાય” તરીકે ઓળખાય છે. તેમનું તત્ત્વજ્ઞાન વિશિષ્ટાદ્વૈતવાદ નામે ઓળખાય છે. રામાનુજના મતમાં પરમેશ્વર નારાયણ અથવા વાસુદેવના નામે ઓળખાય છે અને લક્ષ્મી “શ્રી” તરીકે ઓળખાય છે.
રામાનુજાચાર્યે ભાગવતધર્મના પ્રાચીન વિચારેને શંકરાચાર્યના ઉચ્ચ અદ્વૈતમાં સાધ્યા અને તેમનું વિશિષ્ટાદ્વૈતવાદ પ્રકાશી ઊઠયું. એમણે પ્રતિપાદિત કર્યું કે જીવનમાં પવિત્રતા અને નિસ્વાર્થતા મેળવવા માટે ભક્તિ એ એક યોગ્ય સાધન છે. ભક્તિની સાથે પ્રપત્તિ એટલે કે શરણાગતિને સિદ્ધાંત મૂકો. આપણે આપણું સર્વસ્વ ભગવાનને ચરણે ધરી દેવું જોઈએ. રામાનુજે પોતાના સંપ્રદાયમાં ઈશ્વરની કરુણું મેળવવા માટે તેમની પત્ની શ્રીનું શરણું લેવું જોઈએ એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org