SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ હદુધમ શંકરની માતાની ઇચ્છા તેમને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરાવવાની હતી પણ શકરે પોતે સ ંન્યસ્ત ધારણ કરવાની ઇચ્છા પ્રદર્શિત કરતાં માતા લાચાર ખતી. તેમના સંસારત્યાગ વિષે એક પ્રચલિત દંતકથા એવી છે કે એક વખત તેઓ માતા. સાથે નદીએ સ્નાન કરવા ગયા. સ્નાન કરતાં અચાનક તેમના પગ મગરે પકડયો. શંકર પાણીમાં તણાવા લાગ્યા. આ જોઈ શંકરે માતાને વિનંતી કરી કે મા જો તું મને સન્યસ્ત લેવાની રજા આપે તેા કદાચ આ દુ:ખમાંથી મારી મુક્તિ થાય.” માતાએ વિચાર્યું કે જે પુત્ર સન્યાસી થઈને પણ જીવતા રહેશે તા તેનું દર્શન થશે. માતાએ સન્યાસ લેવાની છૂટ આપી.” સ ંન્યસ્ત ધારણ કર્યાં પછી તે ન દાર્કિનારે જઈ ગુરુ ગાવિ દપાદાચાયના શિષ્ય બન્યાં. અહીં શંકરે વેદાંત, ચેાગ, બ્રહ્મસૂત્ર વગેરેનું ઉત્તમ જ્ઞાન મેળવી માહિષ્મતિ નગરીમાં આવેલ મડમિશ્રની સાથે શાસ્ત્રાર્થ કરી તેમના ઉપર વિજય મેળવ્યા. કરાર પ્રમાણે મંડનમિશ્ર અને તેમની પત્ની શંકરાચાય નાં શિષ્ય બન્યાં. ૪૭ આ પછી શકરાચાર્યે અનેક પાખંડી મતાનું ખંડન કરી સમગ્ર ભારતમાં પ્રવાસ કરી પ્રાચીન ઉપનિષદાના અદ્વૈતવાદ અને જ્ઞાનવાદ પ્રવર્તાવ્યા અને એના રક્ષણ માટે ભારતના ચાર ખૂણે પૂર્વમાં જગન્નાથપુરી, દક્ષિણમાં શૃંગેરી, પશ્ચિમમાં દ્વારકા અને ઉત્તરમાં બદ્રીનાથ એમ——ચાર મઠ સ્થાપી ત્યાં પેાતાના ચાર શિષ્યે નીમ્યા. તેમણે પોતાના જીવન દરમ્યાન શારદાદેશ (કાશ્મીર) બદ્રીનાથ, કેદારનાથ વગેરે સ્થળોએ ફરીને સમગ્ર ભારતમાં જ્ઞાનયાત પ્રગટાવી ૩૨ વર્ષની નાની વયે દેહત્યાગ કર્યો. આટલી નાની વયે તેમણે જે હિંદુધર્મનું પુનરુત્થાન કર્યું તેનાથી હિંદુધના ઇતિહાસમાં તે અમર થઈ ગયા. એમના ગ્રંથા આજે પણ સ ંસ્કૃત સાહિત્યની અમર કૃતિએ છે. તેમણે સરળ પદ્યમાં ભક્તિભાવથી તરાળ એવાં મધુર તેંત્રો પણ લખ્યાં છે. તેમનું ભજગોવિદ' નામનું પદ તા આજે ભારતમાં ઘેર ઘેર ગવાય છે. . તેમના મત કેવલાદ્વૈતવાદના નામે ઓળખાય છે. તેમના સિદ્ધાંત પ્રમાણે બ્રહ્મ' એ કેવલ છે. અર્થાત્ એના જેવું ખીજું કંઈ જ નથી, જ્ઞાન અને ભક્તિ દ્વારા તેની સાથે એકતા સાધી શકાય છે. શંકરની માન્યતા મુજબ બ્રહ્મ' એ સત્ય છે તે જગત મિથ્યા છે. જીવ એ પરમાત્માથી જુદ્યુ નથી. શંકરાચાર્ય જીવાત્માની ત્રણ અવસ્થા બતાવે છે. મેક્ષ મેળવવા બ્રહ્મજ્ઞાન જરૂરી છે. જ્ઞાનની સાથે શ'કરાચાર્યે પે:તાની વિચારસરણીમાં ભક્તિને મહત્ત્વ આપ્યુ છે. તે પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy