SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુધર્મ (ર) પરમાત્મા સાથે જીવને આશ્રયાશ્રિત અને ભેદભેદ સંબંધ છે. (૩) એક જ પરમ તત્વ પોતાની સ્વાભાવિક અને અચિન્ય શક્તિ વડે સર્વદા સ્વરૂપ,” “તકૂપવૈભવ,‘જીવ’ અને ‘પ્રધાન’ એમ ચારરૂપે રહે છે. બસવ મહારાષ્ટ્રમાં થયેલા બસવ નામે આચાર્યો શિવસંપ્રદાયમાં સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ-શિવતત્વની ઉપાસનાને ઉપદેશ કર્યો. તેમના સંપ્રદાયમાં બસવ શિવના નંદિને અવતાર મનાય છે. એમના સંપ્રદાયનું નામ વીરશૈવ અથવા લિંગાયતસંપ્રદાય છે. આ પંથમાં યજ્ઞોપવિતને બદલે કંઠમાં શિવલિંગને ધારણ કરવાને સંસ્કાર કરવામાં આવે છે. તે સ્ત્રી અને પુરુષ બંનેને કરવામાં આવે છે. અહીં ગાયત્રીના છેલ્લા ચરણમાં “તનઃ શિવઃ પ્રક્રિયાત' એમ ફેરફાર કરવામાં આવે છે. અને તે નમ: શિવાય એ આ પંથને સામાન્ય દીક્ષામંત્ર છે. આમ આચાર્યયુગમાં હિંદુધર્મમાં શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયની દરેક શાખામાં ભક્તિમાર્ગને પ્રચાર વધે. સંન્યાસ્ત કરતાં લેકે ગૃહસ્થજીવનમાં રહી ભક્તિને મહત્ત્વ આપવા લાગ્યા. તત્વજ્ઞાનને મહિમા ઘટવા લાગે. સ તેને ગુગ આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ કહે છે કે “હિંદુધર્મ એ કેવળ દેને કે પુરાણોને ધર્મ નથી પરંતુ આચાર્યો અને સાધુસંતોને પણ છે.” હિંદુધર્મના વિકાસમાં અનેક આચાર્યો અને સાધુસંતોએ ફાળો આપેલ છે. મધ્યકાલમાં હિંદુધર્મના વિકાસમાં આપણને બે પ્રવાહ જોવા મળે છે? (૧) આચાર્ય દ્વારા ચાલેલા સંપ્રદાયને પ્રવાહ. (૨) સાધુસતિ દ્વારા ચાલેલા ભજનકીર્તન અને ભક્તિને પ્રવાહમુસ્લિમોના આક્રમણોએ ભારતીય સમાજજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. ચારેતરફ ધર્માન્તરે, બળાત્કાર અને મંદિરના નાશની પ્રવૃત્તિ ચાલી રહી હતી. આ સમયે ભારતીય પ્રજામાં ધર્મનું ચૈતન્ય ટકાવી રાખવાનું કાર્ય સાધુસંતોએ કર્યું. સમાજને નીચલે વર્ગ બ્રાહ્મણે અને અન્ય સવર્ણોથી હડધૂત થયેલ હતા. સતીપ્રથા, બાળકીને દૂધ પીતી • કરવાની પ્રથા, હરપ્રથા જેવી પ્રથાઓ દ્વારા સ્ત્રીઓ પર અનેક પ્રકારના અત્યાચાર થતા હતા. દેવદાસી પ્રથાને લીધે દેવમંદિરો અને ધર્મગુરુઓ ભ્રષ્ટ થયા. હતા. દેવમંદિરમાં અનેક પાખંડ ચાલી રહ્યાં હતાં. સ્ત્રીઓને ભક્તિ કરવાને અધિકાર ન હતા. કેટલાક આચાર્યો તે સ્ત્રીનું મુખદર્શન કરવામાં પણ પાપ સમજતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy