SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય ધર્મો નિમિત્ત બનાવી સમગ્ર માનવજાતને જીવનને મર્મ સમજાવ્યો છે. ગીતાની ખૂબી એ છે કે તેના વિશે ભાષ્ય, ટીકાઓ અને ગ્રંથ રચાયાં હોવા છતાં તે નિત્ય નૂતન જ રહી છે. શ્રીમદ્દ શંકરાચાર્યે તેને સમસ્ત વેદના સાર રૂપ ગ્રંથ કહ્યું છે. લોકમાન્ય ટિળકે તેને કર્મયોગશાસ્ત્ર, મહર્ષિ અરવિંદે તેને ભક્તિગશાસ્ત્ર, ગાંધીજીએ તેને અનાશક્તિયોગશાસ્ત્ર અને વિનોબાજીએ તેને સામ્યયોગશાસ્ત્ર તરીકે બિરદાવેલ છે. આવા અદ્દભુત ગ્રંથને જન્મ ઘેડાઓના હણહણાટ, હાથીઓની ગર્જના અને શંખનાદ વચ્ચે યુદ્ધભૂમિમાં થયું છે. જ્યારે યુદ્ધભૂમિમાં પોતાના સ્વજનેને જોઈ અજુન મનથી નિર્બળ બનતાં યુદ્ધ કરવાની ના પાડે છે અને કહે છે કે મારે આવું લેહીથી ખરડાયેલું રાજ્ય જોઈતું નથી ત્યારે તેના સારથિ બનેલ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જીવનનું સનાતન રહસ્ય સમજાવે છે. ગીતાના શ્લેકે શ્લેકે સંદેશ સંભળાય છે કે - “પાર્થને કહો ચઢાવે બાણ હવે તે યુદ્ધ એ જ કલ્યાણ.” ભગવાનના ઉપદેશથી અર્જુનના મનની નબળાઈ દૂર થાય છે. આખરે તે યુદ્ધ કરવા તૈયાર થાય છે. ભગવાનને કહે છે કે ળેિ વવ ! આ ગીતાના ૧૮ અધ્યાયને સમાવેશ મહાભારતના ભીષ્મપર્વમાં થયે છે. - ગીતાને સંદેશ સર્વગ્રાહી બને છે તેનું મૂળ કારણ એ છે કે અર્જુનની મૂંઝવણ તે આપણું સહુની મુંઝવણ છે. ભગવાન કૃષ્ણ અર્જુનને જે ઉપદેશ આ તે આપણું સહુને ઉપયોગી નીવડે છે તેથી આપણે યુગે યુગે ગીતા તરફ મીટ માંડીએ છીએ. ગીતાના ઉપદેશને આપણે જે એક જ શબ્દમાં સમજ હોય તે ભગવાનશ્રી રામકૃષ્ણ પરમહંસના જણાવ્યા પ્રમાણે જરાક ઉતાવળથી ગીતા શબ્દનું દસ વખત ઉચ્ચારણ કરે તે તમારા કાને “તાગી' “તાગી” એવા શબ્દ અથડાશે. એટલે કે ગીતા કહે છે કે ત્યાગી બને. ગીતાને સંદેશ ટૂંકમાં નીચે પ્રમાણે ઘટાડી શકાય. ગીતાને પ્રથમ ઉપદેશ આત્માની અમરતાને છે. આત્માની અમરતા ગીતામાં બે રીતે બતાવવામાં આવી છે. આત્માને જન્મજન્માંતર છે પણ ઉછેદ નથી, જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજી નવાં વસ્ત્રો ધારણ કરે છે તેમ આત્મા જીર્ણ દેહ ત્યજીને નૂતન દેહ ધારણ કરે છે. જે મૃત્યુ અને જન્મ કહેવાય છે. જન્મ, મૃત્યુ વગેરે દેહને છે, આત્માને નથી. આત્મા શરીરના સર્વ વિકારોથી પર છે. ગીતામાં જણાવ્યું છે કે આત્મતત્વનાં સર્વત્ર દર્શન કરવાં તેનું નામ મોક્ષ. ગીતાને બીજો મહત્વનો ઉપદેશ નિષ્કામ કર્મને છે. સમગ્ર સંસાર કર્મ વડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy