SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુધર્મ ૩૯ યુદ્ધની કથાની આસપાસ નીતિ અને તત્વજ્ઞાનની ઢગલાબંધ સામગ્રી એકઠી કરેલ છે. મહાભારતમાં ભગવાન વેદવ્યાસે માનવસ્વભાવનું ઉત્કૃષ્ટ આલેખન કર્યું છે. લેભ, ઈર્ષા, મોહ, કામ, ક્રોધ, જુગાર વગેરે માનવસ્વભાવનાં દુષ્ટ તને પરિચય કવિએ આ ગ્રંથમાં કરાવ્યો છે. દ્રૌપદીના અપમાનને પ્રસંગ અને તે વખતે વડીલેનું વર્તન એ સમગ્ર ગ્રંથને નેધપાત્ર પ્રસંગ છે. મહાભારતમાં કવિએ મનુષ્યના મનના વિકારોનું વર્ણન કર્યું હોવા છતાં, તેમાં જીવનના ઉત્તમ આદર્શો પણ વર્ણવ્યા છે. નબળાં પાત્રોને પણ ધર્મ આચરતાં બતાવ્યાં છે. કવિએ મહાભારતના અંતમાં સ્પષ્ટ કહ્યું છે કે “જો ઘર્મસ્તા નથ: ” જ્યાં ધર્મ ત્યાં જ જ્ય. મહાભારતમાં જે સમાજ જોવા મળે છે તે પરથી કહી શકીએ કે તેમાં તરવજ્ઞાનની અનેક વિચારસરણી વહેતી હતી. પ્રત્યક્ષ અનુમાન અને આગમશાસ્ત્રની વિચારસરણી મહાભારતે સ્વીકારી છે. તેનું પ્રમાણ ન સ્વીકારનાર નાસ્તિક મતોનું ખંડન કરવામાં આવ્યું છે. શિવ અને વિષ્ણુની ઉપાસના મહાભારતમાં જોવા મળે છે. મહાભારતના જમાનામાં ઇન્દ્ર નબળે પડી ગયેલું જણાય છે. અહીં અવતારવાદ અને એકેશ્વરવાદ નજરે પડે છે. પ્રાચીન યુદ્ધનાં શસ્ત્ર, નીતિનિયમે, પ્રાચીન ભારતની દંડનીતિ, રાજનીતિ વગેરેને ખ્યાલ મહાભારતમાંથી મળે છે. આમ મહાભારત એ ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવનાર અદ્દભુત ગ્રંથ છે. ટૂંકમાં રામાયણ અને મહાભારત એ કેવળ ઈતિહાસ નથી પરંતુ ભારતીય પ્રજાનું જીવનઘડતર કરનારાં રાષ્ટ્રિય મહાકાવ્ય છે. ભારતીય સંસ્કૃતિનું સમગ્ર ચિત્ર આ બંને કાવ્યમાં વ્યક્ત થયેલું છે. ભારતની પ્રજાની ધર્મ અને સંસ્કૃતિની સાધનાને ઈતિહાસ તેમાં પડેલે છે. ભગવદગીતા ગીતા જેવો કપ્રિય ગ્રંથ દુનિયામાં કોઈ શાસ્ત્રોમાં આજદિન સુધી લખાયો. નથી. એનું આખું નામ “ભગવદ્ગીતા ઉપનિષદ' (ભગવાને ગાયેલ ઉપનિષદ) છે. આ એક એવો ગ્રંથ છે કે જેણે જમાનાઓથી માનવજાતને પ્રેરણું અને શાંતિ અપ છે. ગીતા એટલે ગાયેલી. તેના ગાનાર ભગવાન શ્રી કૃષ્ણ છે અને સાંભળનાર અજુન, જે ભક્ત છે. ભગવદ્ગીતાની ગોઠવણું મહાભારતના ભીષ્મપર્વમાં કરવામાં આવી છે. એક રીતે જોઈએ તે તે બરાબર મહાભારતની વચ્ચે છે. આ કારણથી જ પૂ. વિનોબા ભાવે ભગવદ્ગીતાને મહાભારતને નંદાદીપ કહે છે. નંદાદીપ એટલે બે ઓરડાની વચમાં મૂકેલો દી. ગીતામાં ભગવાને અર્જુનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy