SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ કર ભારતીય ધર્મ નામના ઋષિને તેમણે યૌવન અપ્યું હતું. વિશ્વલાના પગ લડાઈમાં ભાંગ્યે હતા તેને લાઢાના પગ તેમણે આપ્યો. તે વસૂકેલી ગાયને દૂઝતી કરે છે, તે સૂર્ય પૂત્રી સૂર્યાને સ્વયંવરમાં જીત્યા હોવાથી લગ્નની સાથેસ ંબ ંધ ધરાવે છે. તે સ્ત્રીને પતિ આપે છે ને પતિને પત્ની આપે છે. વેદકાલમાં આ દેવનું ઘણું મહત્ત્વ હતું. (૧૪) સેમ આ એક જાતની વનસ્પતિ છે. વેદકાલમાં આર્યાં તેનું ખૂબ પાન કરતા. વનમાંથી તેને વાજતેગાજતે ઉપાસના વિધિપૂર્વક લાવવામાં આવતી. યજ્ઞની વેદી સમક્ષ તેમાંથી રસ કાઢવામાં આવતા. દેવાને અણુ કર્યા બાદ તેનું પાન કરવામાં આવતું. વેદમાં સામરસનું ખૂબ મહત્ત્વ બતાવ્યું છે. (૧૫) ઉષા ઋગ્વેદમાં ઉષાદેવીને ઉદ્દેશીને કરવામાં આવેલી પ્રાર્થનાઓમાં ઉત્તમ કાવ્યતત્ત્વ નજરે પડે છે. ઋષિઓએ તેને આકાશની દુહિતા કહી છે. સૂર્ય આવતા પહેલાં આકાશમાં જે લાલરંગ છવાઈ જાય છે તે ઉષાનું સ્વરૂપ છે. આ ઉપરાંત વેદમાં ઇલા, ભારતી, યમ, મરુત, ક્ષેત્રપતિ, બ્રહ્મણુ સ્પતિ વગેરે વાની સ્તુતિ કરવામાં આવી છે. આમ હિંદુધર્મનું પ્રધાન તત્ત્વ દેવવાદ છે. વેદમાં આ દેવવાદ અનેક સ્વરૂપે જોવા મળે છે. દેવવાદ પ્રકૃતિના ર ંગે રંગાયેલા છે. ઋષિએએ આ દેવે પાસે ભૌતિક સુખાની યાચના કરેલ છે. વેદની દેવષ્ટિમાં આપણને કેટલાક દેવાનું વિશેષ મહત્ત્વ નજરે પડે છે જેમ કે અગ્નિ, સૂર્ય, વરુણ ઇન્દ્ર વગેરે. સમય જતાં વૈદની દેવષ્ટિમાં અનેક દેવદેવીએ ઉમેરાયેલાં જોવા મળે છે. તેમાં સ્પષ્ટત : એક્રેશ્વરવાદ ઉપનિષદામાં જોવા મળે છે. સમય જતાં અનેક દેવવાદના સ્થાને અધિદેવવાદ ને એકેશ્વરવાદ વિકસ્યા, છેવટે ઉપનિષદામાં એક તત્ત્વવાદ (એકવાદ-અદ્વૈતવાદ) પ્રચલિત થયા. વેદયુગની ધભાવના વેદયુગની ધર્મભાવનાની માહિતી આપણને વૈદ સાહિત્યમાંથી મળે છે. આ સાહિત્યનું સર્જન આત્મજ્ઞાનમાંથી થયું છે. તેમાં સમગ્ર પ્રજાજીવનની ચેતના નજરે પડે છે. વેયુગમાં વિવિધ દેવદેવીઓની પૂજા નજરે પડે છે. આ દેવદેવીએામાં પ્રકૃતિનાં તત્ત્વાનું પ્રાધાન્ય નજરે પડે છે. આમ છતાં ઉપનિષદોમાં એકેશ્વરવાદની ભાવના સ્પષ્ટ વર્તાય છે. આ દેવા મનુષ્યોથી પર નથી. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy