SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુધર્મ મુશ્કેલીઓમાં માનવીને મદદરૂપ બનતા હોવાથી વેદસાહિત્યમાં તેમની અનેક પ્રાર્થનાઓ રચાયેલી જોવા મળે છે. આ દેવ પાસે માનવી ભૌતિક સુખોની માગણી કરતા જણાય છે. સંસારમુક્તિની ભાવના સેવત નથી. વેદકાલમાં યજ્ઞસંસ્થાનું મહત્ત્વ સવિશેષ વર્તાય છે. યજ્ઞ દ્વારા માનવી ભક્તિ અને કર્મમાં શ્રદ્ધા રાખતા થાય છે. યજ્ઞ દ્વારા સમર્પણની ભાવના કેળવાય છે. વેદકાલના પાછળના સમયમાં યજ્ઞસંસ્થા ઉપર બ્રાહ્મણનું વર્ચસ્વ વધ્યું. તેમણે યોને પિતાની આજીવિકાનું સાધન બનાવ્યું. પરિણામે યજ્ઞોમાં અટપટી વિધિઓ અને હિંસા વધી. હવિર્યજ્ઞ, સમયજ્ઞ, રાજસૂયયજ્ઞ, અશ્વમેઘયજ્ઞ જેવા વિવિધ પ્રકારે પડડ્યા. બ્રહ્મજ્ઞાન એ વેદકાલનું આગવું તત્ત્વ છે. આ મેળવવા માટે ઉપનિષદમાં જીવ, જગત અને ઈશ્વર સંબંધી વિવિધ ચર્ચાઓ કરેલ જોવા મળે છે. તેને આધારે માનવજીવનમાં ચાર આશ્રમનું (બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ) સર્જન થયું. દરેક આશ્રમના આગવા નીતિનિયમો ઘડાયા. બ્રહ્મચર્યાશ્રમમાં બ્રહ્મના જ્ઞાન માટેની ઉપાસના, ધર્મજિજ્ઞાસા, કર્મજિજ્ઞાસા વગેરે માટે અભ્યાસ કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો. તેમાંથી પંચમહાયજ્ઞો, વર્ણપ્રથા વગેરેને ઉદ્દભવ થયે. આદર્શ સમાજ રચનાની શરૂઆત થઈ. ટૂંકમાં વેદકાલીન ધર્મભાવનામાં કર્મની પવિત્રતા, દાનનો મહિમા, સત્ય, અહિંસા, તપ, સંયમ, સદાચાર વગેરેનું મહત્ત્વ નજરે પડે છે. પૌરાણિક યુગને હિંદુધમ હિંદુધર્મના વિકાસના આ બીજા તબક્કામાં તેના શાસ્ત્રગ્રંથોમાં ઘણું ઉમેરણ થાય છે. આ યુગમાં આપણને વેદાંગરૂ, દર્શનસૂત્રે ઈતિહાસ કહેતાં રામાયણ અને મહાભારત, ૧૮ પુરાણો અને સ્મૃતિગ્રંથ વગેરેની રચના થયેલી જોવા મળે છે. આનું કારણ એ છે કે પાણિનિએ વ્યાકરણ રચ્યું અને ભાષાના નિયમે નક્કી કર્યા. દુનિયાની કઈ પણ ભાષામાં જ્યારે વ્યાકરણની રચના થાય ત્યારે સાહિત્યમાં વધારે થાય છે. હિંદુધર્મના ઈતિહાસમાં પણ આમ બન્યું. અહીં વેદના વિચારને , સ્પષ્ટ કરવા નેધપાત્ર સાહિત્ય રચાયું. હિંદુ ધર્મશાસ્ત્રના બે વિભાગ પડે છેઃ (૧) શ્રુતિ (૨) સ્મૃતિ. શ્રતિ એટલે પરમાત્મા પાસેથી ઋષિમુનિઓએ સાક્ષાત સાંભળીને મેળવેલું જ્ઞાન. સ્મૃતિ એટલે સમરણમાંથી રચાયેલું સાહિત્ય. વેદસાહિત્ય કૃતિના નામે ઓળખાય છે. વેદકાલ ભા. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy