SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય ધર્માં વૈદની ધર્મભાવના યજ્ઞ પ્રધાન હોઈ સ્વાભાવિક છે કે તેમાં અગ્નિનું મહત્ત્વ વિશેષ હાય. ઋગ્વેદમાં આ દૈવને ઉદ્દેશીને નીચેની પ્રાર્થના કરવામાં આવી છેઃ અગ્નિને હું પિતા માનુ છું, સ ંબંધી માનું છું, ભાઈ માનુ છુ. મહાન અગ્નિનુ મુખ પૂજવા યોગ્ય છે. આકાશમાં પ્રકાશતુ સૂર્યનું રૂપ પૂજવા યોગ્ય છે. ધૂમ એ અગ્નિના કેતુ હોવાથી તેનું ખીજુ નામ ધૂમકેતુ છે. ૩. (૬) ઇન્દ્ર વૈદની દેવષ્ટિમાં અગ્નિ પછી મહત્ત્વનું સ્થાન ધરાવતા આ બીજો લેાકપ્રિય દેવ છે. ઇન્દ્ર એટલે પરમાત્માનું શક્તિમાન સ્વરૂપ. વેદમાં ઇન્દ્રને ‘શતઋતુ' તરીકે એળખાવેલ છે. તેને વરસાદના દેવ કહ્યો છે. એક એવી માન્યતા પ્રચલિત છે કે આકાશમાં જ્યારે મેઘ ગર્જના કરે છે તે ઇન્દ્રના વજ્રને અવાજ છે. ઇન્દ્ર આ વજ્ર વડે દુષ્કાળ રૂપી રાક્ષના નાશ કરે છે. વેદમાં ઇન્દ્રને પુરંદર એટલે કે નગરાના નાશ કરનાર કહ્યો છે. તે સામરસની બહુ શેખીન છે. તેની વિશાળતા ઘણી મેાટી છે. પૃથ્વી અને આકાશ તેનેા કમરપટ થવાને પણ પૂરતાં નથી. આમ આકાશ અને પૃથ્વી તેમાં આ દેવની શક્તિની પ્રતીતિ થાય છે. આમ વૈદમાં ઇન્દ્રને સમગ્ર પૃથ્વી અને ઘુ લેકના સ્વામી તરીકે ઓળખાવી તેને એક પ્રતિભાશાળી દેવ તરીકે મહત્ત્વનું સ્થાન આપેલ છે, (૭) વિષ્ણુ વિશ-પ્રવેશવુ ઉપરથી સમગ્ર વિશ્વના અંતરમાં પ્રવેશેલું પરમાત્માનું સર્વ વ્યાપી સ્વરૂપ તે વિષ્ણુ, એ સૂર્યનું ત્રિલેાકવ્યાપી સ્વરૂપ છે. પેાતાના ત્રણ પગલાંથી તેણે સમગ્ર વિશ્વને ભરી દીધું છે. આ કારણથી તે ત્રિવિક્રમના નામે એળખાય છે. એનાં ત્રણે પગલાં ઉજ્જવળતા, આનંદ અને મધુરતાથી ભરેલાં છે. એ વિષ્ણુનુ પરમપદ સામાન્ય મનુષ્યને નજરે પડતું નથી, પણ જ્ઞાનીઓ તેને એળખી શકે છે. આદિત્ય-સૂર્યાં એ વિષ્ણુનું પ્રકટ સ્વરૂપ મનાય છે. (૮) સવિતા TM- ઉત્પન્ન કરવું, ધાતુ ઉપરથી સવિતા શબ્દ બન્યો છે, તે સૂની તેજેમય પ્રેરક શક્તિનું સ્વરૂપ છે. પ્રસિદ્ધ ગાયત્રીમ ત્ર ગાયત્રીને ઉદ્દેશીને લખાયા છે. ખરી રીતે એ ગાયત્રી છંદમાં રચાયેલી સાવિત્રીઋચા છે. એવી કલ્પના કરવામાં આવી છે કે આ દેવનાં નેત્ર, હાથ, પગ વગેરે અવયવ સેાનાના બનેલા છે. પેાતાની કુશળ આંગળીઓ વડે તેણે જગતનું સર્જન કર્યું છે. વેદમાં ઋષિએએ દેવલેાક પ્રત્યે થયેલા પાપમાંથી મુક્ત કરવાની આ દેવને પ્રાર્થના કરી છે. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy