________________
હિંદુધર્મ (૧) અદિતિ
અદિતિ શબ્દ - કાપવું અથવા બાંધવું ધાતુ બંધનરહિતપણુ-મુક્તિ. ઉપરથી બન્યું છે. અદિતિ એટલે સર્વ દેવની માતા. અદિતિના પુત્ર આદિત્ય તરીકે ઓળખાય છે. સૂર્યનું એક નામ આદિત્ય છે. આદિત્યે વિશાળ અને ઊંડા છે. એ કેઈથી દબાયેલા નથી, પણ સૌને અંકુશમાં રાખે છે. આ માનતા કે સમગ્ર વિશ્વ અને દેવસૃષ્ટિ અદિતિમાંથી ઉત્પન્ન થયેલ છે. (૨) ચૌ-પૃથિવી
ઘોષ એટલે દીપતું તેજોમય આકાશ, આ દેવ ગ્રીક લેકેના ઝયૂસને મળતું આવે છે. સાધારણ રીતે ઘસની સાથે પૃથિવીને જોડવામાં આવે છે. પૃથિવી એટલે વિશાળ. આ યુગલને જગતના માતાપિતા તરીકે ઓળખવામાં આવે છે. ઋગ્વદના છ સૂક્તો તેમની સ્તુતિ કરવામાં આવી છે. એક સૂક્તમાં ઘૌષને રક્તવર્ણ,. વીજળીને ચળકાટ અને ફળપતા આણનાર તરીકે વર્ણવ્યા છે. (૩) ત્વષ્ટા
#–તક્ષ્ણ ધાતુ ઉપરથી બનેલ શબ્દ વૃEET એટલે ઘડનાર છે. આ સમગ્ર વિશ્વને ઘડનાર દેવ છે ત્વષ્ટા. તે ઇન્દ્રને પિતા છે, અગ્નિને પિતા છે. ઈન્દ્રનું વજી અને સોમરસને ઘડનાર ત્વષ્ટ છે. આ દેવને વિશ્વરૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમગ્ર જગતનું સર્જન તેણે કર્યું છે તેમ માનવામાં આવે છે. (૪) વિશ્વકર્મા
ત્વષ્ટાની જેમ આ દેવ પણ સમગ્ર જગતના ઘડવૈયા તરીકે ઓળખાય છે. એવી માન્યતા પ્રવર્તે છે કે તેણે આકાશ, પૃથ્વી અને પાતાળનું નિર્માણ કર્યું છે. (૫) અગ્નિ
વેદની દેવસૃષ્ટિને આ અત્યંત લોકપ્રિય દેવ છે. અગ્નિ એ પરમાત્માનું પ્રકાશિત સ્વરૂપ છે. બીજા બધા દેવો કરતાં તે મનુષ્યની નજીકમાં નજીક છે. અગ્નિ એ મનુષ્યને પરમાત્મા સાથે જોડનાર દિવ્ય શક્તિ છે તે સ્વર્ગમાંથી મનુષ્યને ઘેર આવીને વસેલો દેવ છે. તે દેશ માટે સંદેશ લઈ જનાર દૂત પણ કહેવાય છે. મનુષ્યનું ઘર તે એનું જ છે તેથી તે ગૃહપતિ કહેવાય છે. વેદના ઋષિઓ આ દેવને પુરહિત, ઋષિ અને કવિ તરીકે નવાજે છે. “વૈશ્વાનર' અને “નરાશ સ” એ તેનાં વિશેષણ છે. લેટિન ભાષામાં પણ અગ્નિને મળતો lgnis. શબ્દ છે. ઈરાનની પ્રજા પણ અગ્નિની ઉપાસના કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org