SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય ધમાં આમ સમગ્ર રીતે જોતાં જણાય છે કે ઉપનિષદેદ્યમાં જીવ, જગત અને ઈશ્વર વિશે બહુ ઊ ંડાણુથી ચર્ચા કરવામાં આવી છે. વિવિધ દૃષ્ટાંતા આપી આ ત્રણેના સંબ ંધ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. ઉપનિષદોની વિચારસરણીમાં કાઈ કાપનિક વિચારસરણી મૂકવામાં આવી નથી પણ જીવનના ખાધ આપેલ છે. ડો. જે. એસ, મેકેન્સી જણાવે છે કે દુનિયામાં વિશ્વને માટે એક અખંડ અને એકધારા જે પહેલવહેલા પ્રયત્ન થયા તેનુ વણું ન ઉપનિષદ્યમાં જોવા મળે છે.' જિંદગીને સમૃદ્ધ અને આનંદમય બનાવવા માટે ઉપનિષદોના અભ્યાસ જરૂરી છે. અહીં ટૂંકાં વાકયોમાં જીવનના ગહન મ પ્રગટ કરવામાં આવ્યા છે. ઉપનિષદો કેવળ ભારતવાસીઓના જ નહિ પણુ સમગ્ર માનવજાતના આધ્યાત્મિક વારસા છે. વેદની દેવષ્ટિ ૨૮ ભારતીય ધર્મોમાં દેવવાદ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વૈદમાં દેવ શબ્દ પરમાત્મા માટે વખતોવખત વાપરવામાં આવ્યો છે. ‘દેવ' શબ્દ વ એટલે ચળવુ ઉપરથી બન્યા છે. દેવ એટલે ચળકતા તેજસ્વી પદાર્થ, વેદની સહિતામાં અનેક દેવદેવીઓની ઉપાસના જોવા મળે છે. વેદની દેવષ્ટિની સમજ આપતાં આચાર્ય શ્રી આન શકરભાઈ ધ્રુવ કહે છે કે ઋષિએાનાં હૃદય ઊંચાં અને દૃષ્ટિ પ્રતિભાવાળી હોવા છતાં આ ખિલ વિશ્વમાં તેમ જ વિવિધ પદાર્થોમાં એમને ચૈતન્યની ઝલક દેખાતી. આ ચૈતન્યની ઝલકને તથા ઝલકવાળા પદાર્થને દેવ' કહેતા.” આ દેવના વિવિધ ગુણુ અને કર્મ પ્રમાણે જુદા જુદા નામ પાડવામાં આવ્યાં હતાં. વળી એક કલ્પના એવી પણ વહેતી થઈ હતી કે આ બધા દેવાને જન્મ આપનાર એક દેવમાતા હતી જેને અદિતિ' કહેતા. અદિતિના પુત્રો તે આદિત્ય કહેવાતા. આ દેવાની ઋષિમુનિએ સ્તુતિ કરતા અને તેમની પાસેથી ભૌતિક સમૃદ્ધિ અને પવિત્રતાની માગણી કરતા. દેવાને રીઝવવા માટે યજ્ઞયાગ પણ કરવામાં આવતા એટલે કે વેદની ધર્મભાવનામાં ભક્તિ સાથે કર્મ પણ જોડાયેલું હતું, વૈદની દેવષ્ટિ મુખ્યત્વે પ્રકૃતિના રંગે ર'ગાયેલી છે. આ વિશે સમજ આપતાં ડી, સર્વપલ્લી રાધાકૃષ્ણન કહે છે કે આર્યો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે તેમણે જોયું કે તેમનુ જીવન પ્રકૃતિ ઉપર નિર્ભર થયેલું છે અને આ કારણથી પ્રકૃતિનાં સુંદર અને ચમત્કારિક તત્ત્વાની તેમણે ઉપાસના શરૂ કરી.' વૈદ્યની દેવષ્ટિ ઘણી વિશાળ છે. આ દેવસૃષ્ટિનાં કેટલાંક મુખ્ય દેવદેવીએ નીચે પ્રમાણે છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy