________________
ભારતીય ધર્મો
વિસ્તાર થતાં જે સાહિત્ય જગ્યું તે સંહિતાઓ. આની અનેક શાખાઓ હતી અને તેથી વેદની પણ વિવિધ શાખાઓ અસ્તિત્વમાં આવી.
એમ મનાય છે કે શરૂઆતમાં વેદની એક જ સંહિતા હતી. પરંતુ યજ્ઞમાં જુદા જુદા ઋત્વિજે ભાગ લેતા હેવાથી વેદની ચાર સંહિતાઓ કરવામાં આવી. ચાર ઋત્વિજેમાં (૧) હીતા - યજ્ઞમાં મંત્ર દ્વારા દેવોનું આવાહન કરનાર (૨) અવયું - યજ્ઞમાં આહુતિ આપનાર (૩) ઉદ્ગાતા – યજ્ઞ વખતે સામ મંત્રનું ગાન કરનાર (૪) બ્રહ્મા – યજ્ઞમાં કાર્ય કરનાર ઋત્વિના કાર્ય ઉપર દેખરેખ રાખનાર. આ ચારે ઋત્વિજેને માટે અનુક્રમે અફ, યજસુ, સામ અને અથર્વ એવી વેદની ચાર શાખાઓ અસ્તિત્વમાં આવી. સમય જતાં તે (૧) વેદ (૨) યજુર્વેદ (૩) સામવેદ (૪) અથર્વવેદના નામે ઓળખાવા લાગી. વેદની સંહિતાઓને ચેકસ રીતે વ્યવસ્થિત કરવાનું માન વેદવ્યાસને મળે છે. તેમનું બીજુ નામ કૃષ્ણ દ્વૈપાયન છે. ભગવાન વેદવ્યાસે પિતાના ચાર શિષ્યને વેદની એક એક સંહિતા આપી. પલને હદની, વૈશંપાયનને યજુર્વેદની, જૈમિનિને સામવેદની અને સુમતને અથર્વવેદની. તેમણે આ શાખાઓના જ્ઞાનને લાભ તેમના શિષ્યને આપ્યો અને તેમાંથી અનેક સંહિતાઓનું સર્જન થયું. શરૂઆતમાં વેદની ત્રણ સંહિતાઓ હોવાથી તે “વેદત્રયી'ના નામે ઓળખાતી. પાછળથી તેમાં અથર્વવેદનો ઉમેરો થતાં ચાર સંહિતાઓ બની.
વેદ સાહિત્યને ત્રણ વિભાગમાં વહેંચી શકાયઃ (૧) સંહિતા કે મંત્ર વિભાગ, કે જેમાં જુદાં જુદાં દેવદેવીઓની પ્રાર્થનાઓને સંગ્રહ કરવામાં આવેલ છે. (૨) બ્રાહ્મણ વિભાગ કે જેમાં યજ્ઞની ચર્ચા કેન્દ્રસ્થાને છે. (૩) આરણ્યક અને ઉપનિષદ. વિભાગ કે જેમાં તત્ત્વજ્ઞાનની ચર્ચા કરવામાં આવી છે. વેદ સાહિત્ય
ચાર વેદનું સ્વરૂપ નીચે પ્રમાણે છેઃ (૧) ઋવેદ
ફ સંહિતા એ ભારતીય સાહિત્યમાં જ નહિ પણ જગતના સાહિત્યમાં જૂનામાં જૂને ગ્રંથ છે. પશ્ચિમના વિદ્વાને આ ગ્રંથને “The oldest documents of mankind' તરીકે બિરદાવે છે. આ આખોય ગ્રંથ પદ્યમાં રચાયેલું છે. તેને દસ વિભાગ છે. તે ગ્રંથમાં મંડલ તરીકે ઓળખાય છે. મંડલ સૂક્તમાં વહેંચાયેલું છે. દરેક સૂક્ત (સ્તોત્ર) ઋચા ચાનું સફ-૪ (યાએ અર્થાત્,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org