________________
હિંદુધર્મ
२३ શ્લેક)નું બનેલું હોય છે. ટ્વેદમાં સુક્તની કુલ સંખ્યા ૧૦૨૮ની છે. આ સર્વ સૂક્તમાં દિવ્ય તત્તની પ્રાર્થના કરવામાં આવેલી છે. અહીં દેવતાઓની પ્રાર્થના ઉપરાંત બીજા અનેક વિષયની ચર્ચા કરવામાં આવી છે. પ્રસિદ્ધ નાસદીય સૂક્તમાં સૃષ્ટિના વિકાસની કથા તથા પુરુષ સૂક્તમાં ભગવાનના વિરાટ સ્વરૂપની ચર્ચા કરવામાં આવી છે. ધર્મ અને તત્ત્વજ્ઞાનની સારી રીતે અહીં ચર્ચા કરેલ છે. સંહિતાના ઉષાદેવીને લગતા શ્લોકમાં સુંદર કાવ્યત્વ જોવા મળે છે. (૨) યજુર્વેદ
એની મુખ્ય બે સંહિતાઓ છે. તૈત્તિરીય' અને “વાજસનેયિ.” એમાંની પહેલી કૃષ્ણ યજુર્વેદ અને બીજી શુકલ યજુર્વેદના નામે પ્રસિદ્ધ છે. શુકલ યજુર્વેદની ૧૫ શાખાઓ છે અને કૃષ્ણ યજુર્વેદની ૭ શાખાઓ છે. ઋવેદમાં વિવિધ દેવતાઓને ઉદ્દેશીને કરાયેલી પ્રાર્થનાઓ છે તો યજુર્વેદમાં તે દેવતાઓ માટે
જવામાં આવતા યાનું વર્ણન છે. વેદકાલમાં યાનું સામાજિક મૂલ્ય ઘણું હતું. એવી માનતા દઢ થયેલી હતી કે યજ્ઞ વડે દેવો રીઝતા અને વૃષ્ટિ થતી. પરિણામે ધન-ધાન્યથી પૃથ્વી છલકાતી. આ કારણથી યજ્ઞની સંસ્થા વેદ ધર્મનું અંગ બની ગઈ હતી. યજ્ઞ અંગેની વિસ્તૃત માહિતી આ સંહિતામાં આપવામાં આવેલી છે. યજુર્વેદની સંહિતાની વિશિષ્ટતા એ છે કે એમાં પદ્ય અને ગદ્ય બંને આવે છે. એના નામ પ્રમાણે એ યજ્ઞને વેદ હોઈ એમાં યજ્ઞની ક્રિયાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એમાં ઋદના મંત્રોને યજ્ઞ વિધિના કર્મકાંડમાં કેવી રીતે વિનિયોગ કરવો તે દર્શાવ્યું છે. એનું એકમ યજુસ (યજ્ઞને લગતા મંત્ર) છે. (૩) સામવેદ
સામવેદ એ સંગીતને વેદ ગણાય છે. સમયજ્ઞ વખતે પુરોહિતોને ટ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે આ સંહિતાની રચના કરવામાં આવી છે. આ સંહિતામાં કુલ ૧૮૧૦ મંત્ર છે જેમાંના ૭૫ મંત્ર સિવાય બાકીના બધા ઋગ્રેદમાંથી લેવામાં આવ્યા છે. અહીં સેમ નામની વનસ્પતિને ખૂબ મહિમા. ગાવામાં આવ્યો છે. સામવેદ સંહિતાના મુખ્ય બે વિભાગ (૧) પૂર્વ આચિંક (૨) ઉત્તર આચિંક. ઉત્તર આચિંકમાં ઋદની કેટલીક ચાઓને સમયાગ વખતે ગાવાના ક્રમમાં ગોઠવેલી છે. જ્યારે પૂર્વ આચિંકમાં સંગીતના અભ્યાસને માટે ઉપયોગી નીવડે તેવી ઋચાઓ આપેલી છે. આ ત્રયાઓના નામ ગ્રામગેયગાન અને અરણ્યગાન છે. સામવેદના “બ્રાહ્મણે’ના નામ તાંડથ મહાબ્રાહ્મણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org