________________
ભારતીય ધર્મ
નાન
આ નગરના અવશેષોમાંથી લગભગ દરેક ઘરમાંથી સ્નાન કરવાની ઓરડીઓ પ્રાપ્ત થઈ છે. અહીં સ્નાન કરવા પાછળ સ્વચ્છતાની સાથે સામાજિક અને ધાર્મિક રૂઢિ રહેલી હોવી જોઈએ. મેહેજો-દડેના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલું મોટું સ્નાનાગાર સ્પષ્ટતઃ સાર્વજનિક કે સામુદાયિક ઉપયોગ માટે બંધાયું હોય તેમ લાગે છે. મંદિર આગળના સ્નાનાગારને લીધે દેવાલમાં પૂજા કે ઉપાસના કરવા જતા પહેલાં સ્નાન કરવાનો રિવાજ અહીં પ્રચલિત હશે. ઉત્તરક્રિયા
ઉપલબ્ધ અવશેષે પરથી આ સંસ્કૃતિની પ્રજાની મરણોત્તર ક્રિયાને ખ્યાલ આવે છે. અહીં શબને નિકાલ કરવાની વિવિધ પ્રથાઓ પ્રચલિત હતી. કેટલીક જગાએ શબને દાટવામાં આવતું તે કેટલીક જગાએ શબને બાળવાની પ્રથા હતી. કબ્રસ્તાનમાંથી અનેક પ્રકારનાં વાસણે મળ્યાં છે. આ વાસણમાં ખાદ્ય પદાર્થો અને પેય પદાર્થો મૂકવામાં આવ્યા હશે એમ મનાય છે. સામાન્ય રીતે અહીંની પ્રજાને માટે વર્ગ શબને અગ્નિદાહ દઈ શેષ રહેલાં અસ્થિઓને નદીના વહેણમાં વિસર્જિત કરતો હશે.
ટૂંકમાં આર્યોના આગમન પહેલાં ભારતમાં વસતી પ્રજાની ધર્મ ભાવના ઉપલબ્ધ થતા જુદા જુદા અવશેષે પરથી જાણવા મળે છે. મુદ્રાઓ પરનું લખાણ હજુ સુધી વ્યવસ્થિત રીતે વાંચી શકાયું નથી. જ્યારે લખાણું સ્પષ્ટ થશે ત્યારે આ યુગની ધર્મભાવના વધુ પ્રકાશ પડશે એમ મનાય છે.
આચાર્ય, નવીનચંદ્ર. નાયડ, ચીનુભાઈ.
નાયક, ચીનુભાઈ અને
ભટ્ટ, મનુભાઈ રાધાકૃષ્ણન, સર્વપલ્લી
૧, સંદભ ગ્રંથો ગુજરાતના ધર્મસંપ્રદાય, અમદાવાદ. ૧૯૮૩ ગુજરાતની સંસ્કૃતિમાં ધર્મને ફાળે” વિદ્યાપીઠ. અં. ૯૯ સં. ૨૦૩૫ જગતના ધર્મોની વિકાસરેખા. અમદાવાદ. ૧૯૭૨ ધર્મોનું મિલન, અનુ. ચંદ્રશંકર. પ્રા. શુકલ અમદાવાદ, ૧૯૪૩ હડપ્પા ને મોહે-જો-દડ, અમદાવાદ. ૧૯૫૨
શામી, હ. ગં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org