________________
પ્રાસ્તાવિક
લાંછનમાં એક ઈંગ પશુ સાથે સંકળાયેલ પ્રતીકની બાજુમાં એક નૃત્ય કરતી સ્ત્રીના જે આકાર જણાય છે. મહે-જો-દડોમાંથી મળેલી કાંસાની પૂતળી કઈ નિર્વસ્ત્ર અલંકૃત નર્તિકોની છે ને એમાં નતિકા પગથી સંગીતને તાલ આપી રહી હોય એમ લાગે છે. હડપ્પામાંથી મળેલ એક નર્તકના શિપને તે નટરાજની મૂર્તિ માનવામાં આવે છે. આ સર્વ ઉપરથી લાગે છે કે આ સંસ્કૃતિની પ્રજા “ધાર્મિક ઉત્સવે ગીત, વાદ્ય, નૃત્ય સાથે ખૂબ ધામધૂમથી ઊજવતી હશે.
બાધા-માનતા
હડપ્પા અને મેહેજો-દડોની સંસ્કૃતિની પ્રજા કોઈ પ્રકારના દેવદેવીઓની બાધા-માનતા રાખતી હશે એમ ઉપલબ્ધ અવશેષો પરથી જાણવા મળે છે. આ -સંસ્કૃતિનાં પ્રાપ્ત થતાં જુદાં જુદાં પ્રાણીઓનાં તેમજ મનુષ્ય આકારનાં શિલ્પ કારીગરીની દૃષ્ટિએ તદ્દન અણઘડ અને હલકાં છે. તેથી એમ મનાય છે કે તે દેવદેવીઓની બાધા-માનતા માટે તૈયાર કરાયાં હશે. આજે પણ ઘણું લકે બળિયાદેવ આગળ માટીના ઘડા મૂકે છે.
અહીંથી ઉપલબ્ધ તાવીજે તાંબાના, માટીના, પથ્થરના કે છીપના હોય તેમ લાગે છે. કેટલાક તાવીજને ગળે બાંધી શકાય એ માટે તેમાં બે બાજુએ કાણાં હોય છે. કેટલાંક તાવીજે ઉપર લાંબી લાંબી સાંકળી કતરેલી હોય છે. મનુષ્યાકાર દેવના ઘાટનું મળેલ એક તાવીજમાં માથે મેંઢાનાં વાંકાં શિગડાં ઊગેલાં દર્શાવેલ છે. અહીંથી મળેલ સ્વસ્તિકની આકૃતિઓ પણ તાવીજને કઈ પ્રકાર હોય તેમ લાગે છે. આ સર્વ ઉપરથી જણાય છે કે અહીંના લોકે તાવીજેની ધાર્મિક અને જાદુઈ અસરમાં માનતા હોવા જોઈએ. તેઓ ભૂતપ્રેત, વળગાડ, રેગ, મેલી વિદ્યા, કામણું ટમળ વગેરની ખરાબ અસરમાંથી મુક્ત થવા અગર અન્ય પર કામણ ટ્રમણ કરવા વગેરે માટે ખાસ તાવીજને ઉપયોગ કરતા હશે.
અહીંથી સર્ગર્ભા સ્ત્રીઓની પૂતળીઓ વધુ પ્રમાણમાં મળી છે. આ પૂતળીઓની પાછળ ઘણું કરીને સંતાનની માનતા માન્યા પછી થયેલી ગર્ભપ્રાપ્તિ -બદલ દેવાલયમાં અર્પણ કરવાને ભાવ રહેલો હોય તેમ લાગે છે. કેટલીક પૂતળીઓ સંતાન પ્રાપ્તિની માનતા પૂરી કરવા માટે બનાવી હોય તેમ લાગે છે. મહેજો-દડામાંથી મળેલ બાળકની પ્રતિમાઓ પુત્રપ્રાપ્તિની માનતા પૂરી કરવા માટે બનાવી હશે તેમ લાગે છે. આ સર્વ ઉપરથી જણાય છે કે અહીંની પ્રજા પિતાની ઇચ્છા પૂર્ણ કરવા વિવિધ દેવદેવીઓની માનતા માનતી હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org