________________
ભારતીય ધર્મો ઇતર સ્વરૂપવાળા દે
અન્ય પ્રાણીઓમાં ઘડિયાલ” ઘણું લાંછનેમાં દેખા દે છે. જેમાં મગર એ ગંગા નદીનું અને કાચબે એ યમુના નદીનું વાહન મનાય છે તેમ આ સમયે આ સંસ્કૃતિની પ્રજા “ઘડિયાલને સિંધુનું વાહન માનતી હોય તેમ લાગે છે. તેના મોઢામાં માછલું જોવામાં આવે છે. અન્ય ઉપલબ્ધ લાંછને ઉપરથી અહીં નાગપૂજા પ્રચલિત હોય તેમ જણાય છે. એ સાથે અન્ય પ્રાણીઓમાં કૂર્મ, વરાહ, ગરુડ વગેરે પણ ધાર્મિક મહત્વ ધરાવતાં હોય તેમ ઉપલબ્ધ મુદ્રાઓ પરથી જણાય છે. વૃક્ષપૂજા
આ સંસ્કૃતિમાં પશુ અને પક્ષીઓ સાથે વૃક્ષપૂજા પણ પ્રચારમાં હતી. ઘણું ઉપલબ્ધ મુદ્રાંકે પર વૃક્ષની છાપ જોવા મળે છે. માટીના વાસણે ઉપરના ચિત્રોમાં વૃક્ષને આકાર જોવા મળે છે. પીપળાના થડની બે ડાળ વચ્ચે ઊભેલી દેવી વૃક્ષદેવી તરીકે ઓળખાતી હોય તેમ લાગે છે. એક લાંછનમાં કઈ માણસ નીચો નમી વૃક્ષને કંઈ અર્પણ કરતે જણાય છે. કેટલાંક લાંછનેમાં વૃક્ષની આસપાસ વેદિકા આલેખી હોય છે. આજે પણ ભારતીય હિન્દુ સમાજમાં વડ, પીપળે, તુલસી વગેરેની પૂજા થાય છે. આ સંસ્કૃતિમાં પીપળા અને લીમડે પવિત્ર વૃક્ષ મનાતાં હોય એમ તેમ જણાય છે. પ્રતીક-પૂજ
આ પ્રજામાં પ્રતીક પૂજા પ્રચલિત હોય તેમ કેટલાંક મુદ્રાકે પરથી લાગે છે. અહીં શિવના પ્રતીક તરીકે લિંગપૂજ, શક્તિના પ્રતીક તરીકે નિપૂજા, તેમજ પશુ સ્વરૂપવાળા દેવોના પ્રતીક તરીકે એકશૃંગ આલેખતા પશુનું પ્રતીક વગેરે પૂજતાં હોવાનું જણાય છે. ઘણાં લાંછનેમાં સ્વસ્તિકની આકૃતિ જોવા મળે છે. આ આકૃતિ પ્રાચીનકાલમાં હિંદમાં તેમજ હિંદ બહારના એલમ જેવા કેટલાય દેશોમાં મહત્વનું સ્થાન ધરાવતી હતી. આજે પણ ભારતમાં “સ્વસ્તિક ધાર્મિક મહત્વ ધરાવે છે. વાઘ-નૃત્ય આ ધાર્મિક ઉત્સવ વખતે ગીત, વાદ્ય, નૃત્યને પ્રગટ થતા હશે એમ ઉપલબ્ધ અવશે પરથી જાણવા મળે છે. એક મુદ્રામાં એક માણસ વાઘની આગળ મૃદંગ વગાડે છે તે બીજી એક મુદ્રામાં તેઓ તાલ પ્રમાણે નૃત્ય કરી રહ્યા છે. એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org