________________
પ્રાસ્તાવિક
આ ઉપરથી અહીં શિવપૂજા સાથે લિંગપૂજ પણ પ્રચલિત હશે તેમ જણાય છે. અહીંથી મળેલાં લાંછનેામાં કેટલાકમાં મનુષ્ય આકાર આલેખવામાં આવેલ છે. આ આકારે ધણું કરીને મનુષ્ય આકારના દેવાના હાય તેમ લાગે છે.
પશુ સ્વરૂપવાળા દેવેશ
આ સંસ્કૃતિના લોકો દેવાને મનુષ્ય સ્વરૂપે આરાધતા તેમ જ પશુ સ્વરૂપે પશુ આરાધતા હતા. ઉપલબ્ધ મુદ્રા અને તાવીજો પરનાં લાંછનામાં પશુઓની છાપ મળી આવી છે. તેમાં એક શૃંગવાળા પ્રાણીની છાપ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ પ્રાણી વૃષભ છે તેની ખાતરી થતી નથી. એ પોતે એ વાસ્તવમાં દ્વિશંગ હોવા છતાં પાછળનું શૃંગ આગળના શૃંગથી ઢંકાઈ જાય છે ને તેથી આપણને એક શૃંગ દેખાય છે એવી રજૂઆત થઈ છે. એના માં નીચે ધૂપદાની કે હમદાની જેવું પાત્ર મળે છે. એક સરધસના દૃશ્યમાં એક માણસે વૃષભના પૂતળાને માથા પર મૂક્યું છે ને એની પાછળ બીજો માણસ પાત્રને ઊંચકી જતા હોય છે. આથી એ પાત્ર કાઈ ધાર્મિક મહત્ત્વ ધરાવતું હોય તેમ લાગે છે.
૧૩
આ ઉપરાંત અન્ય પશુઓમાં ખાંધવાળા સાંઢ, હાથી, વાઘ, પાડા, ગે’ડા, બકરા અને હરણ દેવ સ્વરૂપ ધરાવતાં હોય તેમ લાગે છે. એક મુદ્રામાં માણસના માંવાળા ખકા વૃક્ષદેવતા સાથે સંકળાયેલા જણાય છે. એક લાંછનમાં સ્ત્રીના ઊષા દેહ સાથે વાધનું ધડ જોડવામાં આવ્યું છે ને એ સ્ત્રીના માથા પર એ શિગડાં છે.
પશુઓની કેટલીક પ્રતિમાએ નાના બાળકાને રમવાનાં રમકડાં તરીકે બનાવી હાય તેમ લાગે છે. અહીં પશુ પૂજામાં મિશ્રિત પ્રાણીની કલ્પના પણ્. પ્રચલિત હોવી જોઈએ. એક લાંછનમાં વૃષભના ધડ સાથે હરણનાં ત્રણ માથાં જોડવામાં આવ્યાં છે. અહીં મિશ્રિત પ્રાણીએના આકારમાં કાઈ ને કાઈ દૈવી સ્વરૂપની કલ્પના કરવામાં આવી હોય તેમ જણાય છે.
પક્ષી સ્વરૂપવાળા દેવે
આ સંસ્કૃતિમાં પશુઓ સાથે પક્ષીઓ પણ દેવ સ્વરૂપ મનાતા હોય તેમ જણાય છે. પશુપૂજા સાથે પક્ષીપૂજા પણ પ્રચલિત હોવાના સંભવ લાગે છે. પક્ષીઓના આકાર કોઈ લાંછનામાં દેખાતા નથી. પરંતુ કબૂતરના માટીના ઘાટ. મળી આવે છે. અહીં કબૂતરને દેવીની સાથે સંકળાયેલુ પક્ષી માનવામાં આવતું હોય તેમ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org