________________
ભારતીય ધર્મો પ્રતિમાઓ
આ પ્રદેશમાં ખોદકામ કરતાં માટીનાં તેમજ ધાતુનાં અનેક શિલ્ય પ્રાપ્ત થયાં છે. આ શિલ્પોમાં કેટલાંક મનુષ્ય આકારનાં તે કેટલાંક પશુ આકારનાં છે. કેટલાંક મિશ્ર આકારનાં છે. આ શિલ્પો મેટે ભાગે માટીમાંથી બનાવેલાં છે.
પથ્થરના શિલ્પમાં મનુષ્ય આકારનાં જે શિલ્પ છે. તેમાં એક પૂતળા પરની શોલમાં ઠેકઠેકાણે ખાસ કરીને ત્રિદલની ભાત જેવામાં આવે છે. આ ભાત આ નગરના અવશેષમાં અનેક ઠેકાણે જોવા મળે છે. એ પરથી ત્રિદલની ભાતવાળું આ શિ૯૫ કઈ દેવનું હોવું જોઈએ એમ જણાય છે. એના બંને કાન નીચે કંઠહાર પહેરાવવાનાં કાણાં જોવા મળે છે. એને આંખે ધ્યાનસ્થ અવસ્થામાં હોય તેવી જણાય છે.
અહીંથી માટીનાં શિલ્પોમાં દેવીઓની પૂતળીઓ મોટા પ્રમાણમાં મળી આવેલ છે. આ પ્રકારની પૂતળીઓ હડપ્પા અને મોહે-જો-દડોના દરેક ઘરમાંથી પ્રાપ્ત થઈ છે, પણ લોથલમાંથી પ્રાપ્ત થઈ નથી તે નોંધપાત્ર છે. બીજી નોંધપાત્ર બાબત એ છે કે કેટલીક પૂતળીઓની પીઠને ભાગ બરાબર બનાવવામાં આવ્યું. નથી. આવી પૂતળીઓ ઘરના ગોખમાં કે દીવાલમાં ગોઠવવામાં આવતી હશે. અહીં આવા પ્રતિમા–સ્વરૂપોની ઉપાસના ઘેર ઘેર થતી હોય એમ લાગે છે. મહેજો-દડોની એક મુદ્દા પરના લાંછનમાં એક દેવીને પીપળાના થડની ડાળીઓ વચ્ચે ઊભેલી આલેખવામાં આવી છે. એમાં એના માથા પર બે શિંગડાં છે એ પરથી તેમજ તેની ઉપાસ્ય તરીકેની અવસ્થા પરથી આ આકાર કોઈ મુખ્ય દેવીને હોય એમ લાગે છે. હડપ્પાની એક મુદ્દા પરના લાંછનમાં એની નિમાંથી વૃક્ષને અંકુર ફૂટતે બતાવ્યું છે. આ ઉપરથી આ દેવી વનસ્પતિ સાથે સંબંધ ધરાવતી હોય -તેમ જણાય છે.
અહીંથી મળેલ એક દેવની મૂર્તિમાં મસ્તક પર કઈ વેસ્ટન જેવું હોય કે પછી એના લાંબા વાળની લટને બચી પાછળ જૂટ બાંધ્યો હોય. દાઢી લાંબી અને છેડેથી અંદર ગૂંથેલી દેખાય છે. કંઠમાં તેમજ હાથ પર કંઈક આભૂષણ દેખાય છે. બાકીને દેહ તદ્દન નિર્વસ્ત્ર જણાય છે. અહીં દેવને જે આકાર દર્શાવવામાં આવ્યો છે તે પરથી તે પ્રતિમા આઘશિવની પ્રતિમા સાથે ઘણું સામ્ય ધરાવતી હોય તેમ લાગે છે. મહેજો-દડેના અવશેષમાં ઘણું પથ્થરને ઘાટ બરાબર શિવલિંગ જેવો જણાય છે. ઘણા પથરો નાનાં લિંગ જેવા લાગે છે. કેટલાંક લિંગોની આકૃતિ મનુષ્ય લિંગની આકૃતિ સાથે ઠીક ઠીક સામ્ય ધરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org