SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ભારતીય ધર્મો બહેરામનું મનાય છે. અતિશ બહેરામના મંદિરમાં જુદી જુદી જાતના આતશે. જેવા કે ઘરને, રાજાને, સેનાપતિને, દસ્તૂરને, સેનીને, લુહારને, કુંભારને, ભઠિયારાને, કલાઈગરને, છેવટે વીજળી વગેરેના સેળ આતશે ભેગા કરી એક વર્ષ સુધી તેના પર લાંબી ધાર્મિક વિધિ કરી તેને પવિત્ર બનાવવામાં આવે છે. તેઓ માને છે કે જેમ અહુરમઝદ્દે માત્ર જરસ્તીઓને નહિ પણ સકળ વિશ્વને ઈશ્વર છે, તેમ આતશ બહેરામને આતશ માત્ર એક કે મને નહિ પણ સઘળી કેમનું પ્રતિનિધિત્વ ધરાવે છે. તેથી અનેક ઘરમાંથી તથા ધંધાદારીઓની ભઠ્ઠીઓમાંથી અગ્નિ લાવીને શુદ્ધ કરવા ધાર્મિક વિધિઓ કરે છે. આ પવિત્ર અસિને અખંડ બળતે રાખવામાં આવે છે. આવા આતશ બહેરામેની સંખ્યા ભારતમાં માત્ર આઠ છે. ચાર મુંબઈમાં, બે સુરતમાં, એક નવસારીમાં અને એક જે સૌથી વધુ પવિત્ર, મહાન અને ઐતિહાસિક છે તે વલસાડ જિલ્લામાં આવેલ ઉદવાડામાં છે. ઉદવાડાના આતશ બહેરામને અતિશ “ઈરાનશાહના નામે ઓળખાય છે. ભારતના પારસીઓ માટે આતશ બહેરામ માટે “અગિયારી” શબ્દ ઘણે જ પ્રચલિત છે. એ શબ્દનું મૂળ સંસ્કૃત અગ્નિ આગાર અથવા અગ્નિનું નિવાસસ્થાન એ થાય છે. ટૂંકમાં જરથોસ્તી ધર્મમાં આતશ–અગ્નિ ઈશ્વરી શક્તિનું મૂર્ત સ્વરૂપ મનાય છે. અહીં ધર્મગુરુને “મોબેદ' તરીકે ઓળખવામાં આવે છે. ર સ્તીએ દરેક ધાર્મિક વિધિ મેબેદ મારફતે કરાવે છે. મેબેદ વધારે પવિત્ર કાર્ય કરીને દસ્તૂર બને છે. - જરથોસ્તી ધર્મમાં હિંદુઓમાં બાળકને યજ્ઞોપવીત ધારણ કરવાની ક્રિયા જેવી નવજોતની ક્રિયાને ઘણું મહત્ત્વ આપવામાં આવે છે. નવજાતની ક્રિયામાં પારસી કિશોર કે કિશોરીને સફેદ સદરે અને ૭૨ તારવાળી ઊનની વણેલી કસ્તી જમાઈ) પહેરાવવામાં આવે છે અને ત્યારે જ તે બાળકને વિધિપુર:સર જરથોસ્તીધર્મમાં દાખલ થયેલું માનવામાં આવે છે. આ ક્રિયા પૂર્વે થયેલી બાળકની ભૂલે માટે માબાપને જવાબદાર ગચ્છવામાં આવે છે. નવજોત પછી બાળક પિતે પિતાના કર્મો માટે જવાબદાર મનાય છે. હજુ પણ ભારતના પારસીઓમાં આ ક્રિયાનું મહત્ત્વ સચવાઈ રહ્યું છે. જરસ્તી ધર્મમાં “અષનું મહત્ત્વ સવિશેષ છે. “અષ” સામાન્ય રીતે સત્ય, અદ્ધિ અને પવિત્રતા માટે વપરાતે એક શબ્દ છે. અષાઈ એટલે પવિત્રતા. આ એક જ શબ્દમાં જરથોસ્તી ધર્મને સર્વસાર સમાઈ જાય છે. “અષના ગુણગાન ગાતા લેકે અવસ્તા સાહિત્યમાં અનેક ઠેકાણે જોવા મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy