________________
જરથોસ્તી ધર્મ
૧૯૩
અહુરમઝદે વિશ્વની શરૂઆતથી જ દરેકમાં સ્પેઈન્તમન્યુ એટલે ભલાઈ અને વિકાસની શક્તિ અને અંગ્રમઈન્યુ એટલે બૂરાઈ અને વિનાશની શક્તિ મૂકેલી છે. મનુષ્ય પાપ અને પુણ્યને તફાવત સમજી બુરાઈને ત્યાગીને પવિત્ર જીવન જીવવું જોઈએ.
જરથોસ્તી ધર્મમાં પરમાત્માના છ ગુણે બતાવવામાં આવ્યા છે. આ ગુણોને અહીં અમષાસ્પદના નામે ઓળખવામાં આવે છે. આ છ ગુણે તે ઃ (૧) અષ વહિસ્ત (ઉત્તમ પવિત્રતા), (૨) વહુમન (ભલાઈ કરવાની વૃત્તિ), (૩) ક્ષથવઈર્ય (અખૂટ શક્તિ), (૪) સ્પેન્ડ આર્મઈતિ (પવિત્ર સંબ્રુદ્ધિ), (૫) હવિત (સંપૂર્ણતા) અને (૬) અમરતાત. (પરમાત્માની અમરતા).
ટૂંકમાં અષે જરથુષ્ટ્ર પ્રબોધેલ ધર્મ સત્ય, સાદાઈ અને પવિત્રતાને ધર્મ છે. અહીં સ્વચ્છતા અને તંદુરસ્તી ઉપર ખાસ ભાર મૂકવામાં આવેલ છે. જરથોસ્તી ધર્મનું સામાન્ય સ્વરૂપ
અષે જરથુષ્ટ્ર કેઈ ન ધર્મ પ્રવર્તાવ્યો નથી, પણ ઈરાનની પ્રજામાં પ્રાચીનકાલથી ચાલી આવતા ધર્મમાંની અશુદ્ધતાઓ દૂર કરી, તેમણે સમયાનકૂલ ફેરફાર કરી મહાવીરની માફક ધર્મને લોકપ્રિય બનાવ્યા.
જરથુષ્ટ્રના સમયમાં ઈરાનની પ્રજામાં હેમ (મ)રસ પીવાને રિવાજ હતો. અષે જરથુષ્ટ્રે તેને પ્રોત્સાહન આપ્યું પણ તેઓ તેના દુરુપયોગથી અને નશે ચડાવનારી ખરાબ અસરથી બેખબર ન હતા. ધર્મક્રિયામાં બરસમ નામને અમુક વૃક્ષની નાની શાખાઓને ઉપયોગ કરવામાં આવતું.
- ઈરાનની પ્રજામાં અગ્નિપૂજાનું મહત્વ વિશેષ છે. જરથોસ્તી ધર્મમાં આતશ (અગ્નિને)ને અહુરમઝદુને પુત્ર કહ્યો છે. હિંદુઓમાં દરેક ધાર્મિક ક્રિયાઓમાં જેમ અગ્નિનું પ્રથમ સ્થાપન કરવામાં આવે છે તેમ જરથોસ્તી ધર્મમાં પણ આતશનું સ્થાન ઘણું ઉચ્ચ છે. તેઓ માને છે કે આતશ દ્વારા અહુરમઝદ્ર સુધી પહોંચી શકાય છે. અતિશ માત્ર પવિત્ર વસ્તુ નથી, પણ અહુરમઝની દિવ્ય શક્તિ અને મનુષ્યની સર્વોચ્ચ આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે અને આથી જ પારસીઓ અગ્નિને શુદ્ધ રાખવા પ્રયત્ન કરે છે, સતત જલતો રાખે છે. તેઓ આથી શબને બાળતા નથી. અપવિત્ર વસ્તુને આતશ ઉપર પકવવાથી દુઃખ થાય છે તેવી માન્યતા ધરાવે છે.
જરથોસ્તીઓમાં ત્રણ પ્રકારનાં અગ્નિમંદિરે હોય છે. આતશ બહેરામ, આતશ આદરાન અને આતશ દાદગાહ, સૌથી શ્રેષ્ઠ પ્રકારનું મંદિર આતશ - ભા. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org