________________
૧૮૨
ભારતીય ધર્મો વગેરે સ્થળોએ વિશેષ પ્રમાણમાં છે. નડિયાદના વહોરાઓ મજહબી સકીદા તરીકે ઓળખાય છે.
આ કેમ ધર્મભીરુ હોય છે. તેઓ નાનાં નાનાં ગામડાંઓમાં વેપાર કરતા હોય છે. આ સર્વ વહોરાઓ મુલ્લા યા મહમૂદ અલીના બધથી મુસલમાન થયા છે. તેઓની જમાત સમય જતાં સાત વિભાગમાં વહેંચાઈ ગઈઃ (૧) દાઉદી (૨) સુલેમાનીઆ (૩) અલીઆ (૪) ઝેદી (૫) હજુમિયા (૬) ઇસ્લામિયા (૭) નઝીરિયા.
ભારતના ખૂણે ખૂણેથી શિયાપંથના વહેરાઓ ખંભાતમાં ઝિયારત માટે આવે છે. ઘણું વહોરાઓ રાજસ્થાનમાં ડુંગરપુર જિલ્લામાં મહી નદીના કિનારે આવેલા ગલિયાકેટમાં યાત્રાર્થે જાય છે. વહોરા કામમાં આ તીર્થને મહિમા વિશેષ છે. અહીં મેટી દરગાહ આવેલી છે. તેની સામી બાજુએ શીતળા માતાનું મંદિર આવેલું છે. અહીં વહોરા કેમના યાત્રાળુઓ માટે જમવા તથા રહેવાની ખાસ સગવડતા છે. પીરાણાપંથ
પંદરમી સદીમાં ગુજરાતમાં ઈમામશાહે આ સંપ્રદાયની સ્થાપના કરી. આ સંપ્રદાયના અનુયાયીઓ હિંદુ અને ઇસ્લામ બંને ધર્મના આચારે પાળે છે. તેઓ બ્રાહ્મણ અને “કાકા' (આ સંપ્રદાયને પુહિતા) પાસે ધાર્મિક વિધિઓ કરાવે છે. ગુજરાતમાં તેઓ ઊતરતી કક્ષાના હિંદુમુસ્લિમ તરીકે ઓળખાય છે. તેઓ મુસલમાનોને પયગંબરો તથા વિષ્ણુના દસ અવતારમાં માને છે. તેઓ “મતિયા' તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે તેઓ હિંદુ રીતરિવાજ તરફ વધારે ઢળેલા છે. દીપની પૂજા કરે છે. શબને હિંદુ રીત પ્રમાણે અગ્નિસંસકાર, કરે છે, પણ કેટલુંક બાળ્યા પછી થોડાંક હાડકાં દાટવા માટે રાખે છે. આ સંપ્રદાયના ક્રિયાકાંડ અને ઈમામે વિશેની માહિતી "સતધર્મની વેલ નામના એક ગ્રંથમાંથી મળે છે.
આ ઉપરાંત ગુજરાતમાં પ્રચલિત મહદેવીપંથ અને દાદુપંથના અનુયાયીઓ પણ હિંદુ અને મુસ્લિમ મિશ્ર આચાર પાળે છે. આ સંપ્રદાયના અનુયાયીઓમાં હિંદુ અને મુસ્લિમો જોવા મળે છે. મધ્ય પ્રદેશના બહાદુરપુરમાં સત્તરમી સદીમાં મહંમદ શાદુલ્લાએ સ્થાપેલા સંપ્રદાયમાં હિંદુ અને મુસ્લિમો દાખલ થયેલા જોવા મળે છે. તેઓને “પીરજાદા'ના નામે ઓળખવામાં આવે છે. તેઓ વિષ્ણુના દસમા અવતારને નિષ્કલંક' તરીકે ઓળખાવે છે, તેની પૂજા કરે છે. અઢારમી સદીમાં પંજાબના અલવર પ્રદેશમાં રસૂલ શાહ નામના સંતે તાંત્રિક મત ફેલાવ્યા. તેઓ હિંદુ તાંત્રિકોની માફક ગની સાધના કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org