________________
ભારતીય ધમે
(૧) દાતા ગંજ બક્ષ
આ વિખ્યાત સંતનું મૂળનામ મખદુમ સૈયદ અલી–અલ હુજવીરી હતું. તેમને કેટલાક અલ-જુલ્લાબી પણ કહે છે. તેમનું પ્રચલિત નામ દાતાગંજબક્ષ હતું. તેઓ મૂળ ગઝનીની પાસે આવેલ જીલ્લાબના વતની હતા. ભારતમાં આવી. તેઓ અનેક સ્થળોએ ફર્યા, અંતે લાહેરમાં સ્થિર થયા. તેમને ઉપદેશથી અનેક હિંદુઓ તથા મુસ્લિમે તેમના શિષ્ય બન્યા. લાહોરમાં ભાટી દરવાજા પાસે તેમનું સમાધિ સ્થાન આવેલું છે. આજે પણ આ સ્થળે દર ગુરુવારે અનેક હિંદુમુસ્લિમ શ્રદ્ધાપૂર્વક દર્શને જાય છે. તેમની સમાધિ સ્થાનને દરવાજ ઉપર આપેલા લેખ ઉપરથી જાણી શકાય છે કે તેમનું મૃત્યુ હિજરી સંવત ૪૬૫ એટલે કે ઈ. સ. ૧૦૭૨માં થયું હતું. અહીં શ્રાવણ માસના ચેથા ગુરુવારે મે મેળો ભરાય છે. તેમણે કુશ-અલ-મહબૂબ અથોત ગૂઢાર્થ પ્રકાશ નામને સૂફીમતને લગતા મહાન ગ્રંથ રચ્યું છે. અહીંની પ્રજાના મત મુજબ આ સત ભારતના સૂફી સંતના આદિગુરુ મનાય છે. તેમનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે પંજાબ અને તેની આસપાસને પ્રદેશ હતું. (૨) ખ્વાજા મુઈન અલદી ચિશ્તી
આ સંતને જન્મ ઈ. સ. ૧૧૪૨માં સીસ્તાનમાં થયો હતો. તેઓ એશિયાના અનેક સ્થળોએ ફરીને ઉપદેશ કરતા કરતા ભારતમાં પ્રવેશ્યા. તેમનું કાર્યક્ષેત્ર દિલ્હી અને તેની આસપાસના પ્રદેશ હતું. તેમની દરગાહ અજમેરમાં પુષ્કર પાસે આવેલી છે. તેમને આફતાબ-ઈમુક-ઈ-હિંદ એટલે કે ભારતના સૂર્ય તરીકે ઓળખવામાં આવે છે. તેમની દરગાહે અનેક હિંદુમુસ્લિમો જાય છે. અહીં વિશાળ રસ ભરાય છે. હિંદુ મંદિરની માફક દરગાહના પ્રવેશદ્વારે નાબત વાગે છે. મુઘલ સમ્રાટ અકબર પગે ચાલીને આ સંતની દરગાહના દર્શને ગયે હતે.
આ ઉપરાંત ફરીદ શકર ગંજ, સાબિર ચિસ્તી, નિઝામ અલદીન ઓલિયા, સલીમ ચિસ્તી, સિન્ધ ચિસ્તી, સુહરવદ સુખ-પોષ, કાદિરી, ગિરેટ, જાયસી વગેરે અનેક સંતોએ સૂફીમતને ભારતમાં વિકસાવવામાં મહત્વનો ભાગ ભજવે હતા. પંજાબના શાહપુર જિલ્લામાં આવેલું ગિરેટ નામનું તીર્થ હિંદુ અને મુસ્લિમ બંને માટે પવિત્ર સ્થાન મનાય છે.
આ સમયે તેની કામગીરીના પ્રતાપે ભારતમાં પૂરા હિંદુ પણ નહિ અને પૂરા મુસલમાન પણ નહિ એ બંને ધર્મમાં શ્રદ્ધા રાખતે એક વર્ગ ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org