SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ઈરલામ ધર્મ ૧૭૯ આ સમયની નોંધપાત્ર ઘટના તે ભક્તિ આંદોલન છે. આ સમયે હિંદુધર્મ અનેક નાના મોટા સંપ્રદાયોમાં વહેંચાઈ ગયો હતો. ઈશ્વર અને ધર્મના નામે અનેક અનિષ્ટ વધી પડ્યાં હતાં. ચારેબાજુ વહેમ, અંધશ્રદ્ધા અને અનીતિનાં જાળાં પથરાયાં હતાં. ધર્મગુરુઓ એકબીજાના મત-ખંડનમાંથી ઊંચા આવતા જ ન હતા. ધર્મની સાચી ભાવનાનો સમાજમાંથી લેપ થ હતા. આવી વિકટ પરિસ્થિતિમાં સાધુસંતોએ રામ અને રહીમ એક છે એ વાત કહી સમાજમાંથી હિંદુમુસ્લિમને સંઘર્ષ દૂર કરવા પ્રયત્ન શરૂ કર્યા. એકેશ્વરવાદ, ગુરુમહિમા, સંતસમાગમ, નાતજાતને વિરોધ, કર્મકાંડ પ્રત્યે નફરત વગેરેને ઉપદેશ લેકભાષામાં શરૂ કર્યો. ભજનને મહિમાં વધાર્યો. ઈસ્લામના સૂફીમત અને આ સંતની વાણીમાં ઘણું સામ્ય હતું. આ સંતોમાં રામાનંદ, કબીર, નાનક, પીપ, ધીરે, સુરદાસ વગેરે મુખ્ય હતા. કેટલાક મુસ્લિમ સંતે અને સૂફી સંતે પ્રત્યે સમાજમાં આદરભાવ પ્રગટ્યો હતો. આ સર્વ સતેની વિચારધારામાં હિંદુમુસ્લિમ, રામ કે રહીમ, એવા કેઈ ભેદ ન હતા. આ યુગમાં સત્યપીર સતનામી, નારાયણી, મઘરબી, જેવા સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા. જેમાં હિંદુમુસ્લિમ ઐકયની ભાવના રહેલી છે. હિંદુઓના દેવમંદિરોના આચાર વિચાર, પૂજન અર્ચનવિધિની અસર મુસ્લિમ ઉપર પણ થવા લાગી. તેઓ પણ કબ્રસ્તાનમાં અને દરગાહમાં ધૂપ, કુલ વગેરે ચઢાવતા થયા. પીર, ઓલિયાની સમાધિઓ ઉપર બંને કામના માણસે આરદ રાખતા –કૂલ ચઢાવતા. ઘણું હિંદુઓ પીર અને તાજિયાની મન્નત માનતા. તાજિયા કાઢવાની પદ્ધતિ હિંદુઓના ધાર્મિક વરડા કાઢવાની પદ્ધતિ ઉપરથી પ્રચલિત થઈ છે. ચુસ્ત મુસ્લિમે તાજ્યિોમાં આજે પણ માનતા નથી. * હિંદુમુસ્લિમ એકતા સાધવામાં સમ્રાટ અકબર અને અન્ય સાધુસંતે ભલે સંપૂર્ણ રીતે સફળ ન થયા તેમ છતાં સંતના એકેશ્વરવાદના ઉપદેશથી બંને પ્રજા વચ્ચે ધાર્મિક વૈમનસ્ય ઘણું ઓછું થયું. મધ્યકાલમાં ભારત બહારથી વિવિધ આદર્શો સાથે અનેક મુસ્લિમ સંત ભારતમાં આવ્યા હતા. તેઓએ ભારતમાં જુદાં જુદાં સ્થળેએ પિતાનાં સ્થાને જમાવ્યાં હતાં. તેમના ઉપદેશથી ભારતના અનેક લોકે આકર્ષાયા હતા. નીચે જણાવેલા મુસ્લિમ સંતાએ હિંદુ મુસ્લિમ એકતા સાધવામાં મહત્વને ભાગ ભજવ્યો હતોઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy