________________
૧૭૨
ભારતીય ધર્મો
નેક મુસ્લિમ ખુદાને સદા પ્યાર હોય છે. તેઓ હંમેશાં કહેતા કે “મજહબ નહિ શીખાતા આપસ મેં બૈર રખના.”
ટૂંકમાં હજરત મહંમદ પયગંબરે પિતાના ઉત્તમ ઉપદેશ દ્વારા અરબસ્તાનના -સમાજમાંથી અનેક દૂષણે દૂર કરી. જ્ઞાનને પ્રકાશ પાથર્યો. મુસ્લિમ સમાજને જે લૂણે લાગ્યા હતા તે ધીરે ધીરે દૂર થવા લાગે.
ઇસ્લામના મુખ્ય સિદ્ધાંતો
ઇસ્લામનાં બે મહત્વનાં અંગ છે : (૧) ઈમાન (૨) દીન.
ઈમાન એટલે માનવું, શ્રદ્ધા રાખવી, વિશ્વાસ રાખવો. ઇસ્લામ ધર્મમાં છ બાબતે ઉપર શ્રદ્ધા રાખવાનું જણાવ્યું છે: (૧) અલ્લાહ (૨) ફિરસ્તાઓ (૩) કુરાનેશરીફ (૪) પયગંબર (૫) કયામત (૬) કિસ્મત. કયામત એટલે ન્યાયને દિવસ અને કિસ્મત એટલે ખુદાની ઈચ્છાથી મનુષ્યનાં સર્વ સુખદુઃખ નક્કી થાય તે.
ઇસ્લામમાં પાંચ પયગંબરે થયા હોવાનું મનાય છે. (૧) હજરત નેહા (૨) હજરત અબ્રાહમ (૩) હજરત મૌઝીઝ (૪) હજરત ઈસુ (૫) હજરત મહંમદ, આ સર્વમાં હજરત મહંમદ સૌથી છેલ્લા મનાય છે.
દીન એટલે ધર્મમાં જણાવેલ કાર્યોનું શ્રદ્ધાપૂર્વક આચરણ કરવું. ઈસ્લામધર્મમાં પાંચ કાર્યોને પવિત્ર ગણ્યાં છેઃ (૧) કલમા (૨) નમાઝ (૩) રોજા (૪) જકાત (૫) હજ. કલમામાં અલ્લાહ વિના બીજો કઈ ઈશ્વર નથી. અને હજરત મહંમદ પયગંબર છે એનું ઉચ્ચારણું વખતોવખત કરવું. નમાઝ પાંચ વાર કરવાની 'હેય છે: (૧) સવારની નમાઝ (૨) બપોરની નમાઝ (૩) નમતા બપોરની નમાઝ (૪) સૂર્યાસ્ત સમયની નમાઝ (૫) રાત્રી પડ્યા પછીની નમાઝ. નમાઝ વખતે વજુ' કરવાનું હોય છે. વજુ કરતી વખતે શરીરને પાણી વડે સ્વચ્છ કરી નમાઝ પઢવા મસ્જિદમાં જવાનું હોય છે. રોજા એટલે ઉપવાસ, જકાત એટલે દાનઆવકના દસમા ભાગનું દાન કરવાને દરેક મુસ્લિમને ઇસ્લામને આદેશ હેયા છે. અને હજ એટલે યાત્રા. મક્કા શરીફની યાત્રા. દરેક ચુસ્ત મુસ્લિમ જીવનમાં એક વાર મક્કાના પવિત્ર તીર્થસ્થળની હજ કરવાની મહેચ્છા સેવે છે. હજ કરનારને - હજના ચક્કસ નિયમો પાળવા પડે છે.
ટૂંકમાં કુરાનેશરીફના આદેશ મુજબ દરેક મુસલમાને પવિત્ર જીવન ગાળવું -જોઈએ એ ઈસ્લામને મુખ્ય સૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org