SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ઇસ્લામ ધ આશ્રિત બની જીવન વિતાવવું પડ્યું. બાળપણમાં નિરાધાર બનેલા આ બાળક ચેાગ્ય દેખભાળના અભવા વ્યવસ્થિત શિક્ષણ મેળવી ન શકયો. તેણે પેાતાનું ખાળપણુ ઘેટાં-બકરાં ચરાવવામાં વિતાવ્યું. હઝરત મહંમદ પાતાના ઘણું! સમય ચિંતનમાં ગાળતા. બાર વર્ષની નાની વયે તેમણે સ’જોગાને આધીન બની પોતાના કાકાની સાથે વેપારમાં જંપલાવ્યું, ધીરેધીરે તેમની પ્રમાણિકતાને લીધે તેએ વેપારી અલમમાં મહત્ત્વનું સ્થાન ધરાવવા લાગ્યા. એક પ્રમાણિક વેપારી તરીકે તેમની કીર્તિ ચારેબાજુ ફેલાઈ. વેપારના કામકાજને લીધે તેએ મક્કાની એક ખદીજા નામની સ્ત્રીના સ ંપર્કમાં આવ્યા. છેવટે ખદીજાએ તેમની પ્રમાણિકતા ઉપર આફરીન થઈ જઈ તેમની સાથે લગ્ન કર્યાં. આ લગ્નથી તેમના કાર્યની સુવાસ ચારેબાજુ ફેલાઈ. લમ બાદ તે પેાતાના ધોખરે સમય ધાર્મિક ચિંતનમાં ગાળવા લાગ્યા. આ ચિંતન ફાળ દરમ્યાન કહેવાય છે કે તેમને ફિરસ્તા જિબ્રાઈલે આદેશ આપ્યો કે “ખુદાએ તમને પયગમ્બર તરીકે પસંદ કર્યા છે. તમે સમાજમાં જઈ અલ્લાહ એક છે, એ જ પૂજવા યોગ્ય છે” આની પ્રજાને જાણ કરશે. ૧૦૧. લગભગ ૪૦ વર્ષની ઉમરે મહ ંમદ સાહેબે ધર્મોપદેશ આપવાનું કાર્ય શરૂ કર્યું. તેમના ઉપદેશથી મૂર્તિ પૂજક ધર્મ ગુરુએ છ છેડાયા. જેમ જેમ તેમના અનુયાયીએ વધતા ગયા તેમ તેમ મૂર્તિ પૂજાના ત્રાસ મહ ંમદ સાહેબ ઉપર વધવા લાગ્યો. છેવટે તેમને મારી નાખવાના પ્રયત્ન પણ થવા લાગ્યા. આની જાણ થતાં છેવટે તેમણે મક્કા શહેરના ત્યાગ કર્યો અને મઢીના ગયા—ઈ. સ. ૬૨૨. ઘેાડાંક વર્ષ બાદ આ વર્ષથી ગણાતા હિજરી સંવત શરૂ થયો. મદીનાના લોકોએ પ્રેમથી મહ ંમદ સાહેબનુ સ્વાગત કર્યું. તેમના ધર્મ સ્વીકાયા. મહમદ સાહેબે અરબસ્તાનમાં એકેશ્વરવાદના પ્રચાર કરી અજ્ઞાનતા અને અ ંધશ્રદ્ધામાં ડૂબેલી પ્રજાને માદર્શન આપ્યું. આ ધર્મ ઇસ્લામધર્મ તરીકે એળખાયા અને ધીરેધીરે સમગ્ર વિશ્વમાં વિસ્તર્યું. ઈ. સ. ૬૩૨માં મહંમદ સાહેબનું મૃત્યુ થયું. તેમના મત મુજબ સમાજમાં કાઈ ય કે નીચ નથી. શરાખી, વ્યભિચારી, મૂર્તિ પૂજા કરનાર, માનવી માત્રના દુશ્મન છે. સાચેા મુસ્લિમ અલ્લાહના નામના રટણમાં મસ્ત રહે છે. એક પણ નમાજ છેડતા નથી, કાઈની ખાટી સાક્ષી પૂરતા નથી, વ્યાજ-વટાવને ધંધા કરતા નથી. ઈશ્વરે તેને જે આપ્યું હોય તેમાંથી ગરીબે માટે થાડુંક દાન કરે છે. ગરીબા તરફ ધ્યાળુ છે. રાજા-ઉપવાસ વગેરેમાં પ્રમાદી નથી. ભલાઈના કામામાં આગળ અને દુષ્ટ કામેાથી તે સદાય દૂર રહે છે. આવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy