SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ઇસ્લામ ધમ ઇસ્લામમાં ઈશ્વર વિશેની કલ્પના અરબસ્તાનમાં ઇસ્લામમાં ઈશ્વરવાદના પ્રભાવ હતા. પયગમ્બરને સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેના એક ગૂઢ સવરૂપે કલ્પવામાં આવતા. ઈશ્વર વિશે કુરાનની આયાતમાં જણાવ્યુ` છે કે અલ્લાહ નિત્ય છે. શાશ્વત છે. તે પોતે અજન્મા છે. એના સમાડિયો કાઈ નથી. જગતની સર્વ વસ્તુ નાશ પામે છે, પણ ઈશ્વર સદાકાળ ટકી રહે છે. તે ખડકના જેવે અવિચળ છે. તેના ઉપર આપણે ઊભા રહી શકીએ છીએ. જગતને ઘાર અંધકાર, પાપ અને અન્યાય ને લાખો નિરાશાઓ છવાઈ ગઈ હોય ત્યારે તે એકલા આપણી આશાના આધાર થઈ પડે છે. માણસાની દૃષ્ટિ તેને જોઈ શકતી નથી. ઇશ્વરને મનુષ્યનાં જેવાં રૂપગુણુ આપનારી સર્વ કલ્પનાઓને હજરત અલી વખોડી કાઢે છે. વૈષ્ણવધર્મ અને ખ્રિસ્તીધ ઈશ્વરના પ્રેમસ્વરૂપ ઉપર વધારે ભાર મૂકે છે, જ્યારે યધર્મ અને ઇસ્લામ ઈશ્વરના શક્તિ સ્વરૂપનાં વિશેષ ગુણુગાન ગાય છે. ઇસ્લામમાં ઈશ્વરને સર્વ શક્તિમાન અને સનાતન ન્યાયાધીશ કહ્યો છે. હજરત મહંમદ કયામતના દિવસે અલ્લાહ ઇન્સાનનાં કરેલાં. કામેાના ન્યાય કરશે. અલ્લાહ કેવળ ન્યાયાધીશ નથી, તે પાપની ક્ષમા કરનારા, માનવીના પશ્ચાત્તાપને સ્વીકારનારા, દુ:ખીને દુઃખમાંથી છેડાવનારા ખેલી છે, ઇસ્લામમાં એક માન્યતા છે કે અલ્લાહને લાયક બનવા અને સાચી ધ ભાવના વિકસાવવા પયગંબર સાહેબે નમાજ, રાજા, જકાત, હજ અને સંયમ આવશ્યક ગણ્યાં છે. કુરાનમાં જણાવ્યું છે કે તમે જે પ્રાણીની કુરબાની આપશે તેનું માંસ અલ્લાહને પહેાંચવાનું નથી. અલ્લાહને તા તમારી પહેરેજગારી (સદાચારી), જ સ્વીકાર્ય છે. ટૂંકમાં ઇસ્લામ માને છે કે ઈશ્વરની પ્રાર્થના ઈશ્વરની સજેલી ધરતી પર કાઈ પણ ઠેકાણે કરી શકાય છે. પા ૧૭૩. હજરત મહ ંમદના અવસાન બાદ અન્ય ધર્મોની માફક ઇસ્લામમાં પણ અનુયાયીઓના મતભેદને કારણે પથા પડયા. ઇસ્લામના મુખ્ય બે પથા છે: (૧) શિયા (૨) સુન્ની પરપરાગત ચાલી આવતી પ્રણાલિકા પ્રમાણે ઇસ્લામને અનુસરનારને સુની કહેવામાં આવે છે. સુની શબ્દ સુના ઉપરથી બન્યા છે. તેના અર્થ હજરત મહંમદ સબધી સાચવો રાખેલી કથાએ. આ પંથના મહમદને પયગ ંખર તરીકે માને છે. પ્રદેશમાં છવાયેલા છે. Jain Education International અનુયાયીએ હજરત આ પંથના અનુયાયીએ વિશ્વના વિશાળ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy