SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય ધર્મો છે. આ પંથના અનુયાયીઓ ચુસ્તપણે ગુરુ નાનકના ઉપદેશને અનુસરે છે. સાદું અને સરળ જીવન ગાળી ગુરુમહિમા ગાતાં ગાતાં જીવન વ્યતીત કરે છે. આ પંથના અનુયાયીઓ નાનક પંથી કહેવાય છે. બીજો પંથ તે ગુરુ ગોવિંદસિંહે સ્થાપેલ ખાલસા પંથ. આ પંથ શીખ ગુરુઓ અને મુઘલ રાજવીઓના સંઘર્ષમાંથી ઉદ્ભવ્યો છે. ગુરુ ગોવિંદસિંહે આ પંથ દ્વારા ભારતમાં એક બહાદુર અને સ્વાર્પણની ભાવનાવાળી પ્રજા તૈયાર કરી. આ પંથના અનુયાયીઓ ગુરુ ગોવિંદસિંહના આદેશ મુજબ પાંચ કકકડ, (કેશ, કચ્છ, કડું , કંઘી અને કિરપાણ) ધારણ કરે છે. પોતાના નામને અંતે સિહ શબ્દ ધારણ કરે છે. ગુરુ ગોવિંદસિંહે જુલ્મ અને ધર્માન્તરની સામે સિંહની માફક ટક્કર લઈ શકે તેવા સૈનિકે પેદા કરવાને આ ખાલસા પંથ દ્વારા નિર્ણય કર્યો. આના પરિણામે જે મનુષ્ય કદી તલવાર કે બંદૂકને અડક્યા પણ ન હતા તેઓ તત્કાળ વીર બની ગયા. આ પંથ દ્વારા ગુરુ ગોવિંદસિંહે સમાજના નીચલા વર્ગ ગણાતા માછી, છીપા, ઈ, ચમાર જેવા વર્ગોમાંથી એવા સેનાની બનાવ્યા કે જેમના પ્રતાપ આગળ દિલ્હીની મુઘલ સત્તા પણ ટકી શકી નહિ. મેટા મોટા ચમરબંધીઓ પણ થરથરવા લાગ્યા. મુઘલ, મરાઠા પછી ભારતમાં સ્થપાયેલ અંગ્રેજ સત્તાને પણ “ખાલસાની તાકાત સામે ટકવું મુશ્કેલ બન્યું હતું. ગુરુ ગોવિંદસિંહ ખાલિસાનું વર્ણન કરતાં કહે છે કે “જે સત્યની જ્યોતિને સદાય જલતી રાખે, એક ઈશ્વર સિવાય કોઈને નમે નહિ, જે ભૂલમાં પણ કબર, સમાધિ કે મઠમાં શ્રદ્ધા ન ધરાવે, જે દયાળુ, નિષ્કપટી અને સંયમી છે, જેના તનબદનમાં સત્યની પૂર્ણ ત પ્રકાશે છે એવી પવિત્ર વ્યક્તિ તે ખાલસા છે.” ટૂંકમાં ખાલસા પંથ એ ધર્મના રક્ષણ માટે ફના થઈ જનારને પંથ છે. ગુરુ નાનકના પુત્ર શ્રીચંદે ઉદાસી મતની સ્થાપના કરી હતી. આ પંથમાં ગ્રંથસાહેબ ઉપરાંત અન્ય હિન્દુ દેવદેવીઓની પૂજા કરવામાં આવે છે. આ પંથ શીખ પ્રજામાં લાંબો સમય ટકી શક્યો નહિ.' ઈ. સ. ૧૮૮૧માં એક રાધાસ્વામી નામે નવ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યું. આ કઈ શીખધર્મને ફાંટે નથી પણ ઘણી શીખો આ પંથના અનુયાયીઓ બન્યા છે તેથી તેને અહીં ઉલેખ કરેલ છે. અહીં સાદાઈ અને વ્યવહારુ બુદ્ધિ પર ખાસ ભાર મૂક્વામાં આવે છે. આ પંથમાં “રાજા” એટલે જીવાત્મા અને “સ્વામી એટલે પરત્મા એમ માનવામાં આવે છે. આ સંપ્રદાય તરફથી જનસેવાનાં અનેક કાર્યો થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy