________________
શીખધસ
૧૩૫
મૃત્યુ સમયે રાવાકૂટવાની મનાઈ છે. મૃતદેહને શુદ્ધ વસ્ત્રોથી સજ્જ કરી સ્મશાનમાં લઈ જઈ અરદાસ કરવામાં આવે છે. એ પછી ડાઘુએને કહાડ પ્રસાદ વહેંચી કવિ સુ ંદરે રચેલ ‘રામકલી'ના પાઠ ભણવવામાં આવે છે. ગ્રંથસાહેબના પાઠ ભણી મૃતાત્માના દેહની ભસ્મ નદીમાં પધરાવવામાં આવે છે. આમાં શીખ પ્રજાનાં માનવીનું મૃત્યુ જન્મના જેવું જ સહેજ માનવાની ભાવના કેળવવામા ખ્યાલ રહેલા છે.
અમૃતપાન
દરેક શીખને ખાલસા પંથનાં પાંચ પ્રતીા (કેશ, કે ઘી, કચ્છ, કડુ અને કિરપાણુ) રાખવાના આદેશ છે, જે શીખધ ના નિયમાનું ચુસ્તપણે પાલન કરતા હોય તેમને પ પિયારે' તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ગ્રંથસાહેબના પા કરતાં કરતાં લેખડના વાસણમાં પતાસાં નાખેલું પાણી તૈયાર કરી તેને ખાંડાથી હલાવી દરેકને પાંચ અંજલિ આચમન કરાવે છે. આને અમૃતપાન કહે છે. કેટલાક આંખે લગાડે છે, તે કેટલાક મસ્તક ઉપર આના છાંટા નાખે છે. સ્ત્રીઓ પણુ અમૃતપાન કરે છે. દરેક શીખ પાંચ ફ' ધારણ કરે છે.
યાત્રા
શીખધ માં યાત્રાનું મહત્ત્વ વિશેષ છે. દરેક શીખ આધ્યાત્મિક ઉન્નતિ માટે ઐતિહાસિક ગુરુદ્વારાઓની યાત્રા કરવાની મહેચ્છા ધરાવે છે. ગુરુદ્વારાઓમાં (૩) શ્રી અકાલ તખ્ત—અમૃતસર, (૨) શ્રી તખ્ત કેશગઢ સાહેબ—આનંદપુર, (૩) શ્રી તખ્ત હરિમ ંદિર સાહેબ—પટણા, (૪) શ્રી તખ્ત હજૂર સાહેબ—નાંદેડ મહત્ત્વનાં મનાય છે. આ ચારમાં અમૃતસરનું ગુરુદ્વાર ગુરુ હરગાવિંદ સાથે અને બાકીનાં ત્રણ ગુરુ ગોવિંદસિ ંહ સાથે સંબંધ ધરાવે છે.
ટૂંકમાં શીખધ એ ગુરુ મહિમા અને સ્વાર્પણની ભાવના પર વિકસેલા એક વિશિષ્ટ ધર્મ છે. તેમાં દરેક શીખને આધ્યાત્મિક વિકાસ માટે ગ્રંથસાહેબને અને ઐહિક વિકાસ માટે પથને અનુસરવાના આદેશ છે.
થા
ભારતમાં સ્થપાયેલા દરેક ધર્મોંની જેમ શીખધ માં પણ સમય જતાં અનેક પંથે! પડી ગયા. તેમાં નાના મેટાવીસ પથે!ગુરુની જુદી જુદી વિચારસરણીના આધારે પડી ગયા હોવાનું મનાય છે, પણ સામાન્ય રીતે તેમાં બે મુખ્ય શાખાઓ છે. પ્રથમ શાખા ગુરુ નાનકની વિચારસરણીને આધારે શરૂ થયેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org