________________
ભારતીય ધર્મો આ સર્વનું મૂળ કારણ એ છે કે બધા શીખ ગુરુઓએ શીખેમાં સાચી ધર્મભાવના કેળવી છે. પ્રજને ધર્મક્ષેત્રે સાચું માર્ગદર્શન આપ્યું છે. આ સર્વ ગુરુઓએ શૌય અને ધાર્મિક એકતા કેળવવાની સાથે અનેક લોકકલ્યાણનાં કાર્યો જેવાં કે વાવ, કૂવા, તળાવ, ધર્મશાળાઓ વગેરે બંધાવ્યાં. લગપ્રથા વિકસાવી, ગરીબને ભેજન આપી એક્તા કેળવવી વગેરે કરીને પ્રજામાં સાચી ધર્મભાવના કેળવી છે. શીખધર્મનું સામાન્ય સ્વરૂપ
શીખધર્મ એ ભારતીય પરંપરામાં ઉદ્દભવેલે સ્વતંત્ર ધર્મ છે. ભારતમાં પ્રાચીન કાળથી સંત પરંપરાને અવિચ્છિન્ન પ્રવાહ વહેતો આવ્યો છે. અનેક સંતોએ જુદા જુદા સમયે ભારતીય પ્રજાનાં નીતિનાં ધોરણે સાચવવા અને ભક્તિમાર્ગને વિકસાવવા વિવિધ પ્રકારની વિચારસરણીઓ વિકસાવી છે. શીખધર્મ પણ આવી જ જ એક નવી વિચારસરણી રજૂ કરતા સંતની ભેટ છે. આ સંત તે ગુરુ નાનક, ગુરુ નાનકની વિચારસરણીમાં સામાજિક સુધારાની તમન્ના વર્તાય છે. તેમણે એકેશ્વરવાદ, જ્ઞાતિપ્રથાને વિરોધ અને ગુરુમહિમા દ્વારા સમાજના નીચલા વર્ગમાં ભક્તિને પ્રવાહ વહેવડાવ્યો. તેમની વિચારસરણીને તેમના પછીના ગુરુઓએ આગળ વધારી. પરિણામે ભારતીય શીખ સમાજમાંથી અનેક અનિષ્ટો દૂર થયાં. શીખ પ્રજાને ગુરુમહિમા સમજાય. પ્રજામાં ત્યાગ અને સ્વાર્પણની ભાવના વિકસી. હિંદુ અને મુસલમાનના ભેદ રાખ્યા સિવાય શીખધર્મે સર્વેના માટે ભક્તિના દ્વાર ખુલ્લા કર્યા. શીખ ગુરુઓના બલિદાને ભારતમાં એક નીડર અને ધર્મરક્ષક પ્રજાને ઉદય થયો.
શીખ ધર્મગુરુઓએ પોતાના શિષ્યો માટે એક વ્યવસ્થિત આચારસંહિતા વિકસાવી, જે દરેક શીખના માટે આવશ્યક મનાવા લાગી. નિત્ય નિયમ–દરેક શીખે સવાર, સાંજ અને રાતની પ્રાર્થનાએ અવશ્ય કરવી. ગુરુ ગ્રંથસાહેબનું દર્શન દરેકે કરવું આવશ્યક મનાતું. નૈમિત્તિક કર્મ
દરેક શીખે પિતાના બાળકનું નામ ગુરુ ગ્રંથસાહેબના શબ્દના આધારે રાખવું. પિતાના નામને છેડે “સિંહ” પ્રત્યય લગાડો. લગ્ન વખતે વરકન્યાએ ગુરુ ગ્રંથસાહેબની પ્રદક્ષિણું કરવી આવશ્યક મનાતી. તેઓ ગુરુ ગ્રંથસાહેબ સન્મુખ ઊભાં રહે ત્યારે લાર્વા (ગુરુ રામદાસ રચિત ચાર શ્લેક) બેલવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org