________________
૧૬૩
શીખ ધર્મ લખાયેલી અગિયાર વાર્તાઓ) વગેરે વિવિધ વિષયોને સમાવેશ કરવામાં આવેલ છે. કેટલાક માને છે કે દશમગ્રંથની સર્વ રચનાઓ ગુરુ ગોવિંદસિંહની હેય તે સંભવ નથી. આના વિષે તીવ્ર મતભેદ છે કે આ ગ્રંથમાંની કેટલીક રચનાઓ તેમના દરબારના બાર અને કવિઓએ રચી હોય તેમ લાગે છે. ઈ. સ. ૧૭૦૭ના એકબરની સાતમી તારીખે તેઓ સ્વધામ સીધાવ્યા. ગુરુ પરંપરા બંધ કર્યા પછી
ગુરુ ગોવિંદસિંહે દીર્ધદષ્ટિ વાપરી ગુરુ પરંપરા બંધ કરાવી ગુરુ ગ્રંથસાહેબને ગુરુ તરીકે સ્થાપ્યા, પણ મુઘલ સાથેને સંઘર્ષ તે ચાલુ રહ્યો. આથી તેમણે શીખધર્મ અને શીખ પ્રજાના રક્ષણની જવાબદારી બંદા નામના એક બહાદુર સરદારને સંપી અને નીચેના પાંચ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાને આદેશ આપ્યો.
(૧) બ્રહ્મચર્ય પાળવું, પરસ્ત્રી ઉપર કુદષ્ટિ કરવી નહિ. (૨) સાચું બોલવું. (૩) ખાલસાની સેવા કરવી અને એની આજ્ઞા પાળવી. (૪) નો પંથ સ્થાપવો નહિ. (૫) વિજયથી ગર્વિષ્ઠ બનવું નહિ.
સરદાર બંદાએ ગુરુના આદેશ મુજબ અનેક મુઘલ સરદારને હરાવ્યા. આ બાજુ મુઘલ બાદશાહ ઔરંગઝેબનું મૃત્યુ થતાં તે વધારે શક્તિશાળી બને. તેણે હિમાલયની પડોશમાં લેહગઢ નામે કિલ્લે તૈયાર કર્યો. ગુરુ નાનક અને ગર ગેવિંદના નામના સિક્કા પડાવ્યા. પિતાને બાદશાહ તરીકે જાહેર કર્યો. ગુરુ આજ્ઞા તેડીને તેણે નો પંથ સ્થાપે. પરિણામે ઘણું શીખો તેને છોડી ગયા. તે નિર્બળ બનતાં ઈ. સ. ૧૭૧૬માં મુસ્લિમોના હાથે કેદ પકડાયો. છેવટે તેને વધ થયે.
શીખ સંપ્રદાય રાજકીય સ્વરૂપમાં ફેરવાતાં તેને ઘણું જ સહન કરવું પડયું. શીખેમાં આંતરકલહ વધી પડ્યો. આના પરિણામે ઈ. સ. ૧૭પદમાં અહમદશાહ અબદલીએ અમૃતસર ઉપર હુમલો કરી અનેક શીખોની કતલ કરી. હરિમંદિરને નાશ કર્યો. એના પવિત્ર સરોવરને ગાયના માંસથી અપવિત્ર કર્યું, અનેક ગુરુદ્વારેને નુકશાન કર્યું. અને શીએ ધર્મના રક્ષણ કાજે બલિદાન આપ્યું. અંગ્રેજોએ પણ શીખોની તાકાતને બીરદાવી તેમને છોડવાને બદલે તેમની મૈત્રી કેળવી. આઝાદી આવ્યા પછી પણ ભારતમાં શીખ પ્રજા એક બહાદુર અને ટેકીલી પ્રજા તરીકેનું પિતાનું સ્થાન ટકાવી રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org