________________
શીખધર્મ
ગ્રંથ સાહેબ
ગ્રંથસાહેબએ શીખધર્મને પવિત્ર ગ્રંથ મનાય છે. દરેક શીખ તેનું ભક્તિભાવથી પૂજન કરે છે. તેમના આદેશને અનુસરે છે. આ ગ્રંથની રચના પાંચમા ગુરુ અર્જુનદેવે દરેક ગુરુની વાણી લોકે યાદ રાખી શકે તે માટે કરી. આ ગ્રંથને એક વિશાળ નગરની કટપના કરી તેના પ્રકરણે જુદા જુદા વિભાગમાં વહેંચી નાખ્યાં છે. અહીં પ્રકરણને મહોલ્લાના નામે ઓળખવામાં આવે છે.
ગ્રંથસાહેબમાં ગુરુ અર્જુનદવે ગુરુઓના ઉપદેશ ઉપરાંત બ્રાહ્મણ, શક, મુસ્લિમ સંતોની વાણીને સ્થાન આપ્યું છે. એનું કારણ તેમને હેતુ ભારતના આધ્યાત્મિક વારસાને તેમાં સમાવેશ કરવાની ઈચ્છા હતી.
ગ્રંથસાહેબની રચનામાં શીખધર્મના દસ ગુરુઓ ઉપરાંત ભક્તો જેવા કે જયદેવ, શેખફરીદ, નામદેવ, ત્રિલોચન, પરમાનંદ, સદને કસાઈ, બેણ, રામાનંદ, કબીર, ધન્ના જટ, પીપા ઠાકોર, સેનાનાઈ, રવિદાસ, ભીખન, સુરદાસ વગેરે વંદનીય ભક્તોની વાણીને સ્થાન આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત તેમાં મરદાના, સત્તા અને બલવંડ, સુંદર વગેરેને પણ આ ગ્રંથમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રંથસાહેબના સંકલનમાં વિવિધ વિભાગો જેવા કે જાપુજી (જ૫), સદર (ભગવાનનું દ્વાર), સો પુરખ (પરમાત્મા), સોહિલા (યશોગાન) વગેરે છે. તેમાં વિવિધ રાગમાં ભજન, ટૂંકાં ભક્તિકા વગેરેને સમાવેશ કરવામાં આવેલ છે.
આ ગ્રંથને શ્રી કાકા સાહેબ કાલેલકર “સંતના સંમેલન” તરીકે બિરદાવે છે. હિંદુઓની ભગવદ્ગીતા, ઈસ્લામીઓનું કુરાન અને ખ્રિસ્તિઓના બાઈબલ જેટલું જ મહત્ત્વ દરેક શીખને મન ગ્રંથ સાહેબનું છે. અને આ કારણથી જ દરેક શીખ ગ્રંથ સાહેબને પરમ આદરણીય ગુરુ માને છે.
ટૂંકમાં ગ્રંથસાહેબ અનેક રીતે એક વિશિષ્ટ ગ્રંથ છે. જગતના કોઈ પણ ધર્મના સ્થાપક ગુરુઓનાં લખાણ આટલાં વ્યવસ્થિત રીતે સચવાયેલાં જોવા મળતાં નથી. દસમા ગુરુ ગોવિંદસિંહે દેશની રાજકીય પરિસ્થિતિ જોઈ ગ્રંથસાહેબને ગુરુ તરીકે સદાને માટે સ્થાપતાં દરેક શીખેને તે આદરપાત્ર ગ્રંથ બન્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org