________________
પ્રાસ્તાવિક
ભારતીય સમાજમાં ઈસ્લામના અનુયાયીઓને અલગ વર્ગ ઉત્પન્ન થયા. મુસલમાનેએ પિતાની આગવી સંસ્કૃતિ, ભાષા, ધર્મ, આચાર, વિચાર, લિપિ, સ્થાપત્ય, વગેરે વિકસાવ્યાં. આમ છતાં ઈસ્લામનાં ઘણાં સારાં તો ભારતીય સંસ્કૃતિમાં દાખલ થયા. સમાજમાં એકેશ્વરવાદની ભાવના વિકસી. તેના પરિપાકરૂપે ભારતમાં હિંદુ-મુસ્લિમ એકતાની ભાવના વિકસાવતા શીખ ધર્મને ઉદ્દભવ થયો. તેના પરિણામે અનેક સંતોએ માનવ વિકાસનું સુંદર કાર્ય કર્યું. આમ છતાં મુસ્લિમોનાં આક્રમણે વધતાં હિંદુઓએ પિતાની સંસ્કૃતિના રક્ષણ માટે નાત જાતનાં બંધને કડક બનાવ્યાં. વટાળ પ્રવૃત્તિને લીધે ઘણું મુસલમાને બન્યા હોવા છતાં તેમણે પોતાની અગાઉની રહેણીકરણી, રીતરિવાજો, પરંપરાગત માન્યતાઓ વગેરેને ચાલુ રાખી. હિંદુ સમાજની જેમ મુસલમાનમાં પણ વર્ગભેદ વધ્યા.
ઈરાનમાં આરબોના ત્રાસથી પિતાને ધર્મ સાચવવા કેટલાક રસ્તીઓ પિતાને દેશ છેડીને સ્થાયી વસવાટ શેધવા ભારત આવવા નીકળ્યા. અનુશ્રુતિ પ્રમાણે જાણવા મળે છે કે સમુદ્ર માર્ગે ભારત આવતાં રસ્તામાં તોફાનમાં સપડાઈ જતાં તેમાંથી બચવા માટે તેમણે ભારત પહોંચતાં આતશ બહેરામ (પવિત્ર અગ્નિ)ની સ્થાપના કરવાની માનતા માની. તેફોનમાંથી તેઓ સહીસલામત બચી જતાં ભારત આવી તેમણે આતશ બહેરામની સ્થાપના કરી. શરૂઆતમાં જરથોસ્તીઓ ભારતના “દીવ બંદરે ઊતર્યા. અહીં લગભગ ૧૯ વર્ષ પસાર કર્યા બાદ તેઓ દક્ષિણ ગુજરાતના સંજાણ બંદરે આવ્યા. ત્યાંથી આગળ વધી વલસાડ, ઉદવાડા, સૂરત, અંકલેશ્વર, ભરૂચ, ખંભાત અને સૌરાષ્ટ્રના છેક વાંકાનેર સુધી વિસ્તર્યા. તેમણે ભારતમાં આવી પિતાને ધર્મા ટકાવી રાખવા વ્યવસ્થિત પ્રયત્ન કર્યા. તેમણે પિતાનાં અલગ ધર્મ કેન્દ્રો સ્થાપ્યાં હોવા છતાં ભારતીય પ્રજામાં તેઓ સમાઈ ગયા છે. તેમણે ભારતના રાજકીય, ઔદ્યોગિક, શૈક્ષણિક વગેરે ક્ષેત્રમાં નોંધપાત્ર ફાળે આપે છે. તેઓ પારસ (ઈરાન) દેશમાંથી આવેલા હોવાથી ભારતમાં પારસી તરીકે ઓળખાય છે. તેમના ધર્મનું મુખ્ય ધ્યેય માનવ કલ્યાણ રહેલું છે.
યહૂદી પ્રજાનું ભારતમાં ક્યારે આગમન થયું તે અંગે જુદી જુદી માન્યતાઓ પ્રચલિત છે. ધર્મના રક્ષણ માટે તેમને પણ અનેક સ્થળેએ આશ્રય લે. પડ હતા. તેઓ પશ્ચિમ ભારતના કાંકણુ કિનારાના પેઉલ બંદરે ઊતર્યા હતા તેઓ ભારતમાં બે જૂથમાં આવ્યા હતા. એક જૂથ કેરાલા વિસ્તારમાં અને બીજું મહારાષ્ટ્રમાં વસ્યું. તેમણે ભારતમાં આવી રાજકીય અને વેપારક્ષેત્રે નેધ પાત્ર પ્રદાન કર્યું હતું. તેમની સંખ્યા ભારતમાં ઘણી અલ્પ હોવાથી તેમને ધર્મની ભારતીય પ્રજા ઉપર ખાસ અસર પડી નથી. અમદાવાદમાં તેમનું સેનેગાંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org