SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય ધર્મો * ધીરે ધીરે આર્યોના આગમન સાથે પ્રજાની ધર્મભાવનામાં પરિવર્તન આવ્યું. વેદકાલમાં અગ્નિપૂજા અને યજ્ઞોની ભાવના વિકસી. પ્રકૃતિ પૂજામાંથી વિવિધ દેવદેવીઓની પૂજા પ્રચલિત થઈ. આગળ જતાં તેમાંથી શૈવ, વૈષ્ણવ, શાક્ત જેવા સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યા. ધીરે ધીરે સંપ્રદાયના સંધર્ષ સાથે સમાધાનના સૂર પણ સંભળાવા લાગ્યા. સર્વ ધર્મ સમવયની ભાવના વિકસી. એકેશ્વરવાદને ભારતમાં પ્રચાર વધે. સામાન્ય જનતાએ જૂનાં દેવ-દેવીઓની, વૃક્ષ, નાગ વગેરેની પૂન ચાલુ રાખી હોવા છતાં વેદમાં વર્ણવેલ ધર્મ સમાજમાં ધીરે ધીરે પ્રતિષ્ઠિત થવા લાગે. માનવીને ઉપનિષદેના ગહન જ્ઞાનની ઝાંખી થઈ. આના પરિણામે ભારતીય પ્રજામાં ભક્તિ અને કર્મની ભાવના વિકસી. ધીરે ધીરે ભારતીય સંસ્કૃતિ ભક્તિપ્રધાન અને કર્મપ્રધાન બની. અવતારવાદની સાથે સાથે વર્ણાશ્રમ ધર્મ વિકસે. જ્ઞાન, દાન અને પૂણ્યની ભાવનાને વિકાસ થયે, પરિણામે અનેક મંદિરે, જળાશયો વગેરે અસ્તિત્વમાં આવ્યાં. - ભારતમાં હિંદુ ધર્મની સાથે જૈન અને બૌદ્ધ ધર્મને વિકાસ થતાં વર્ણાશ્રમ ભાવનામાં ઓટ આવી. આમ છતાં માનવીમાં જીવ દયાની ભાવના વિકસી. અહિંસા પ્રધાન ધર્મો તરફ માનવ સમુદાય આકર્ષાયા. યજ્ઞોમાંથી હિંસા ઓછી થઈ. સમાજમાં પૂર્ત ધર્મની ભાવના વિકસી. સમાજમાં વાવ, કૂવા, તળાવ, ધર્મશાળાઓ, પરબડીઓ, પાંજરાપોળ વગેરે બાંધવાની પ્રવૃત્તિને વેગ મળ્યો. અશોક જેવા અનેક રાજવીએ તથા વસ્તુપાલ જેવા અનેક દાનવીરોએ જીવદયાની સાથે માનવકલ્યાણની પ્રવૃત્તિ આદરી. આ ધર્મોને પરિણામે સુંદર દેવાલય, સ્તૂપ, વિવિધ દેવ-દેવીઓની પ્રતિમાઓ વગેરે અસ્તિત્વમાં આવ્યાં. ભારતમાં આજે મર્યકાલથી શરૂ કરીને વર્તમાન કાળ સુધીમાં અનેક ભવ્ય મંદિર, સૂપ, જળાશય વગેરનું સર્જન થયું છે. દા. ત., દક્ષિણનાં હિંદુ મંદિરે, સાંચીને સૂપ વગેરે. ઐતિહાસિક કાલમાં ભારતમાં વિવિધ પરદેશી પ્રજાઓનું આગમન થયું. દરેક પ્રજા પિતાને સ્વતંત્ર ધર્મ અને સંસ્કૃતિ લઈને ભારતમાં પ્રવેશી. પણ અહીંની પ્રજાએ તેમના ધર્મનાં સારાં તને અપનાવી લઈ તેમને પોતાનામાં સમાવી દીધા. આથી ભારતીય સંસ્કૃતિમાં વિવિધતા છતાં એકતા દેખાય છે. આના પરિણામે ભારતીય સંસ્કૃતિને ભારત બહારના દેશોમાં પણ સારે ફેલાવો થયે. ' ભારતમાં ઈસ્લામનું આગમન એ એક ભારતીય સંસ્કૃતિનું આગવું પ્રકરણ છે. ભારતમાં મુસ્લિમ સત્તા સ્થપાતાં ઈસ્લામને પ્રચાર વધે. પરિણામે અનેક મંદિરને નાશ થયે. અનેક માનવીઓને મુસલમાન બનાવવામાં આવ્યા. આથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy