SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ભારતીય ધર્મ. અહીં પણ તેમને તેમના કુટુ ંબીઓએ રહેવા ન દીધા. છેવટે તેએ આન ંદપુરથી હરિયાણા આવ્યા. અહીં પણ તેમના વિરાધી રામરાયે ત્રાસ આપવા શરૂ કર્યો. ત્યાંથી તેઓ આગ્રા, વારાણસી, ગયા, પટણા વગેરે સ્થળોએ ગયા. છેવટે તેઓ ઢાકા આવ્યા. આ સમય દરમ્યાન તેમણે અનેક સ્થળોએ માનવકલ્યાણ માટે વાવ, કૂવા, સાવર વગેરે બંધાવ્યાં. છેવટે શીખાના આગ્રહને માન આપી તેઓ પંજાબ પાછા આવ્યા. તેમણે પોતાના પુત્ર ગાવિંદને ગુરુ પુત્રને છાજે એવી તાલીમ આપવાની શરૂ કરી. પંજાબમાં આવ્યા પછી તેમણે શીખાને મુઘલા વિરુદ્ધ એક કરવા પ્રયત્ના શરૂ કર્યાં. આ વખતે મુધલ બાદશાહ ઔરંગઝેબના ત્રાસ ચારે બાજુ વર્તાતા હતા. અનેક મદિરા-ગુરુદ્વારાના મુસ્લિમેાએ નાશ કર્યાં હતા. કલ્પના પણ થીજી જાય તેવા અત્યાચારા ` ઔરંગઝેબ તરફથી હિંદુ પ્રા ઉપર થતા હતા. ફરજિયાત ધર્માં તર કરાવવામાં આવતુ. ગુરુ તેગબહાદુરે આ સર્વના મક્કમ રીતે સામના કરવાના નિર્ધાર કરી આનદપુરમાં ગુરુગાદો રાખી પામમાં શીખાને એકત્ર કરવાના પ્રયત્નો આદર્યાં. લેમાં તેમણે આધ્યાત્મિક શૌય રડવુ. ગુરુના પ્રાણવાન સદેશાએ સમગ્ર શીખ પ્રજા જાગ્રત બની. ગુરુ તેગબહાદુર આ માટે આવેલા સવ ધનના ઉપયેગ લાકકલ્યાણ અને લેાકનગ્નતી માટે કરતાં. * આ સમયે કાશ્મીરમાં બ્રાહ્મણાને બળજબરીથી મુસલમાન બનાવવામાં આવતા હતા. કારણ ઔરગઝેબ માનતા હતા કે જો બ્રાહ્મણા મુસલમાન થાય તો અન્ય લેાકેાને મુસલમાન બનાવવામાં કાઈ મુશ્કેલી નડે નહિ. આથી બ્રાહ્મણો ઉપર ધર્માંતર માટે સખ્ત ત્રાસ વર્તાવવામાં આવતા. દયાળુ તેગબહાદુરના આત્મા આ જોઈ કકળી ઊઠત્યો. તેમણે બ્રાહ્મણેાને બચાવવા મંક્કમ નિર્ધાર કર્યાં. તેમણે બ્રાહ્મણ્ણાને કહ્યું કે તમે ખાદશાહને ખબર આપે! કે અમારા ગુરુ તેગબહાદુર જો ધ પરિવર્તન કરશે તે અમે સવ આનંદથી ધર્મ પરિવર્તન કરીશું.” બાદશાહ ઔર ગઝેખે ધાર્યું કે જો ધર્માંના વડા ઇસ્લામને સ્વીકારે તા અન્યને મુસલમાન બનાવવાનું મુશ્કેલ નહિ બને. ઔરંગઝેખે ગુરુ તેગબહાદુરને કેદ કર્યાં. ગુરુને ઇસ્લામધ સ્વીકારવા શરૂઆતમાં ઘણી લાલચે આપવામાં આવી, ભય બતાવવામાં આવ્યો, ત્રાસ આપવામાં આવ્યો. કાઈ પણ રીતે ગુરુ તેગબહાદુરને તેમના નિણૅયથી ડગાવી ન શકાતાં અંતે તેમના ઈ. સ. ૧૬૭૫ના નવેમ્બરની અગિયારમી તારીખે દિલ્હીના ચાંદની ચોકમાં શિરચ્છેદ કરવામાં આવ્યો જે વૃક્ષ નીચે ગુરુને વધ થયેÀા તે વૃક્ષ દિલ્હીના ચાંદની ચોક ગુરુદ્વારા શીશગંજમાં અત્યારે હયાત છે). તેમના બલિદાને સમગ્ર શીખ પ્રજાને જાગ્રત કરી સમગ્ર પંજામ મુઘલ શાસન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy