________________
ખધર્મ
૧૫૯ પ્રેમથી અપનાવ્યા. થોડાંક વર્ષો બાદ ઈ. સ. ૧૯૬૧માં હરિરાય મૃત્યુ પામ્યા. તેમની વાણી ગ્રંથસાહેબના સાતમા મહોલ્લામાં સચવાઈ છે. ગુરુ હરિકૃષ્ણ
ગુરુ હરિકૃષ્ણની ગુરુ તરીકે વરણી થતાં તેમને મટાભાઈ રામરાય ઘણે ગુસ્સે થયો. તેણે હરિકૃષ્ણવિરુદ્ધ રંગઝેબને ઉશ્કેર્યો. ઓરંગઝેબ કપટથી બંને ભાઈઓનું કાસળ કાઢવા માગતા હતા. તેમણે જયપુર નરેશ સિંહ મારફતે ગુરુ હરિકૃષ્ણને દિલ્હી તેડાવ્યા. બાળ ગુરુ હરિકૃષ્ણની ઇચ્છા દિલ્હી જવાની ન હોવા છતાં રાજા જયસિંહના માન ખાતર દિલ્હી અવ્યિા. બાદશાહ ઔરંગઝેબ અને ગુરુ વચ્ચે થોડાક સમય સુમેળ સધાયો પણ ઔરંગઝેબની ધર્માધતા આગળ તે વધારે ટકી શક્યો નહિ. દિલ્હીના નિવાસ દરમ્યાન ગુરુ હરિકૃષ્ણ શીતળાના રોગમાં સપડાયા. આથી તેમણે ગુરુ તેગબહાદુરને ગુરુગાદી સોંપી ઈ. સ. ૧૬૬૪માં દેહત્યાગ કર્યો. ગુરુ હરિકૃષ્ણ અગાઉના ગુરુની પરંપરા ટકાવી રાખી અને ભજન દ્વારા ધર્મને મહિમા વધાર્યો. તેમની વાણું ગ્રંથસાહેબના આઠમા મહોલ્લામાં સચવાઈ છે. ગુરુ તેગબહાદુર
ગુરુ હરગોવિંદના સૌથી નાના પુત્ર અને ગુરુ હરિકૃષ્ણના પિતાને કાકા શીખ ધર્મની ગુરુ પરંપરામાં નામાંકિત વ્યક્તિ મનાય છે. શાંતિ અને વૈરાગ્યની તેઓ જીવંત પ્રતિમા હતા. ઈ. સ. ૧૬૩૪ના કરતાપુરના યુદ્ધમાં કરેલા તેમના પરામથી ખુશ થઈ તેમના પિતા હરગોવિદે તેમને તેગબહાદુરનું ઉપનામ આપ્યું હતું. ગુરુગાદી ઉપર આવ્યા પછી શી તરફથી આવેલી સર્વ ભેટ લંગરના કાર્યમાં વાપરતા. તેમની અઢળક દાન આપવાની પ્રવૃત્તિથી ઘણું તેમને દેગબહાદુર તરીકે ઓળખાવતા, તે કેઈક તેઓની ગરીબા પ્રત્યેની ભાવના જોઈ તેમને “ટકબહાદુર” તરીકે સંબોધૃતા. તેમની નમ્રતા, ક્ષમાશીલતા અને દાનવીરતાથી અંજાઈને ઘણુ શીખે તેમને સેવક બન્યા હતા. એમણે દરેક શીખને ક્ષમાશીલ બની પ્રભુનામની સાચી સંપત્તિ એકઠી કરવાને ઉપદેશ આપ્યો.
ગુરુગાદી પ્રાપ્ત કર્યા પછી તેમને પિતાના કુટુંબીઓ તરફથી, હરિમંદિરના વહીવટકર્તાઓ તરફથી અનેક મુશ્કેલીઓ સહન કરવી પડી હતી. મંદિરના પૂજારીઓ અને વહીવટકર્તાઓએ હરિમંદિરનાં દ્વાર બંધ કરી દેતાં તેઓ ગુરુદ્વારને બહારથી પ્રણામ કરી અમૃતસર છોડી કરતપુર આવ્યા. અહીં પણ તેમના કુટુંબીઓએ તેમને ખૂબ ત્રાસ આપ્યા આથી તેમણે એ સ્થળ છોડી શિવાલિકની ટેકરીઓની તળેટીમાં ઈ. સ. ૧૬૬૫માં આનંદપુર નામે નવું ગામ વસાવી ત્યાં રહેવા લાગ્યા.
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org