________________
૧૫૮
ભારતીય ધર્મો
પામ્યા. કહેવાય છે કે ગુરુ હરગોવિંદના મૃત્યુના આઘાતથી બે શીખ, જેસલમેરના રાજવી રાજ રામપ્રતાપસિંહ અને એક જાટે દેહત્યાગ કર્યો હતો. તેમની વાણી ગ્રંથસાહેબના છઠ્ઠા મહોલ્લામાં સચવાઈ છે. ગુરુ હરિચય
સાતમા ગુરુ હરિરાય બાળપણથી સંત હતા. તેમણે શીખોને ઉપદેશ આપતાં જણાવ્યું હતું કે “જીવનમાં નમ્રતા રાખવી, દાન કરવું, પ્રાત:કાળે ગુરુવાણીનું સ્મરણ કરવું. પિતાની કમાઈ ઉપર જીવવું. સુકૃત્ય કરવાં. સત્સંગ કરો.”
મુગલ બાદશાહ શાહજહાં શરૂઆતમાં ગુરુ પ્રત્યે વૈરવૃત્તિ રાખત. તેના પ્યારા પુત્ર દારાની માંદગીમાં હકીએ જણાવેલ દવા કોઈ ઠેકાણે ન મળી. છેવટે તપાસ કરતાં જણાયું કે તે શીખ ગુરુ હરિરાય પાસે છે. શાહજહાંએ નમ્રતાપૂર્વક ગુરુ પાસે આવી પોતાના પ્યારા પુત્રને બચાવવા વિનંતી કરી. ગુરુએ કહ્યું કે “જે આશા લઈને ગુરુદ્વારે આવે છે તે કદાપી નિરાશ થતો નથી.” હરિરાયે હકીમેએ જણાવેલ દવાઓ ઉપરાંત અનુપાનમાં વાપરવા લાયક એક મોતી પણ આપ્યું. દારા સાજે થયો. શાહજહાં અને હરિરાય ગાઢ મિત્ર બન્યા.
હરિરાય પિતાના ગુરુના આદેશ પ્રમાણે લશ્કર રાખતા હતા. દારાને મદદ કરવા બદલ શાહજહાં પછી ગાદીએ આવેલ બાદશાહ ઔરંગઝેબ અને હરિરાય વચ્ચે સંધર્ષ શરૂ થયો. ઓરંગઝેબે કપટથી હરિરાય અને તેમના પુત્ર રામરાય વચ્ચે ફાટફૂટ પડાવી. કિશોર રામરાયે શીખ મસદની સલાહથી ઔરંગઝેબને ખુશ કરવા ગુરુ નાનકની વાણીનું ઔરંગઝેબની ઈચ્છા પ્રમાણે અર્થઘટન કરતાં ગુરુ હરિરાયે તેને ત્યાગ કર્યો. ઔરંગઝેબે રામરાયને સાત ગામની જાગીર આપી પિતાનું મૃત્યુ થતાં ગુરુગાદી પર બેસવા તૈયાર કર્યો. તે બાદશાહને પ્રીતિપાત્ર હોવાથી કેટલાક શીખે તેને સાથ મળ્યો. ઔરંગઝેબે તેને હિમાલયની તળેટીમાં ગીર આપેલી હોવાથી રામરાયે “રામરાયા કા દહેરા નામનું ગુરુદ્વાર બાંધ્યું. સમય જતાં તે સ્થાન દહેરાદૂનના નામે ઓળખાવા લાગ્યું. આ જાગીરની આવકમાંથી તેના હાલના મહંત સળેક જેટલા શિક્ષણ સંસ્થાઓ ચલાવે છે. લંગરમાં લગભગ રાજને ૫૦૦ માણસે જમે છે, પણ ગુરુના મૃત્યુ સુધી પિતાપુત્રને મેળાપ ન થયે.
ગુરુ હરિરાયે લગભગ સોળ વર્ષ સુધી ઔરંગઝેબ સામે ટકકર છલી. તેમણે પિતાને અંત સમય નજીક જણાતાં પિતાના નાના પાંચ વર્ષના પુત્ર હરિકૃષ્ણને શીખ સમાજ બેલાવી ગુરુ તરીકે સ્થાપ્યા. સમગ્ર શીખ સમાજે બળ ગુરુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org