SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ભારતીય ધર્મો પિતાની વાણું “સુખમનીના નામે ઓળખાય છે. ગુરુ અર્જુનદેવે ગ્રંથસાહેબમાં ચારે વર્ણના ઉત્તમ સંતાના ઉપદેશને સ્થાન આપી શીખધર્મ સર્વધર્મ સમભાવ જેવા ઉત્તમ ત ધરાવે છે તેનું પ્રતિપાદન કરાવ્યું. શીખ ધર્મમાં અંધશ્રદ્ધા કે ઊંચનીચના ભેદભાવ નથી તે સાબિત કર્યું. તેમણે જણાવ્યું કે પ્રત્યેક મનુષ્ય પિતાનાં સત્કર્મોને લીધે આદર અને સત્કાર મેળવી શકે છે. મુઘલ બાદશાહ અકબર ગુરુ અર્જુનદેવના કાર્યથી ઘણે જ પ્રભાવિત હતા. તે આજીવન તેમને મિત્ર રહ્યો પણ અકબરના મૃત્યુ બાદ દિલ્હીની ગાદીએ આવનાર મુગલ બાદશાહ જહાંગીરના સમયમાં મુઘલ અને બાદશાહ જહાંગીર વચ્ચે સંઘર્ષ શરૂ થશે. આ સંઘર્ષ કરાવનાર તે અર્જુનદેવને ભાઈ પૃથ્વીચંદ પોતે હતે. જહાંગીરના અમલ દરમ્યાન તેના પુત્ર ખુસરોએ બળવો કર્યો. તે હારી જતાં પિતાના દાદા અકબરના મિત્ર અર્જુનદેવ પાસે આવ્યો. પિતાના મિત્રના પત્રને અર્જુનદેવે સામાન્ય રીતે આવકાર્યો. આને લાભ લઈ અર્જુનદેવને વિરોધીઓએ બાદશાહ જહાંગીરને અર્જુનદેવ આપની વિરુદ્ધ કાવત્રુ કરે છે એમ કહી ઉશ્કેર્યો. અર્જુનદેવને કેદ કરવામાં આવ્યા. જહાંગીરે ખાટી ચડવણું અને ધર્માન્જતાથી પ્રેરાઈને ખુસરોને મદદ કરવા બદલ બે લાખ રૂપિયાનો દંડ કર્યો અને દંડ ન ભરે તે તેની માલમિલકત જપ્ત કરવાને આદેશ આપ્યો. સત્યની ખાતર ગુરુએ દંડ ભરવાનો ઇનકાર કર્યો. આ સાથે પોતાના વતી અન્યને પણ દંડ ભરવાની મનાઈ ફરમાવી. તેમણે જે કઈ દંડ ભરે તેને શીખ ને માન એમ જાહેર કર્યું. આથી બાદશાહ તરફથી તેમના ઉપર અત્યંત જુલમ ગુજારવામાં આવ્યો છતાં તેમણે પિતાને ટેક છોડશે નહિ. જુલમ સહન કરતાં કરતાં તેમણે રાવી નદીને કિનારે પિતાને દેહ છોડ્યો. કહેવાય છે કે તેમણે મરતાં મરતાં પિતાને પુત્ર હરગોવિંદને શીખધર્મના રક્ષણ અર્થે દરેક શીખોને શસ્ત્રસજ્જ બનાવવાને આદેશ આપ્યો હતો. તેમની વાણું ગ્રંથસાહેબના પાંચમા મહેલ્લામાં સચવાઈ છે. આમ અર્જુનદેવને સમયથી શીબ અને મુસ્લિમ વચ્ચે સંધર્ષનાં બી વવાયાં. ગુરુ હરગોવિંદ ગુરુ અર્જુનદેવ પછી તેમના પુત્ર હરગોવિંદ ગાદીએ બેઠા. શીખ ગુરુ પરંપરામાં તેઓ છઠ્ઠા ગુરુ તરીકે ઓળખાય છે. તેમણે પિતાના પિતાના આદેશ મુજબ પોતે શસ્ત્રસજજ બની શીખોને શસ્ત્રસજ્જ થવાને આદેશ આપ્યું. મરદાની રમતો, ઘોડેસવારી અને લશ્કરી તાલીમ આપવાની પ્રવૃત્તિને વેગ વધાર્યો. પોતાનું શાસન મુઘલ બાદશાહના શાસન કરતાં ઊંચું છે એ બતાવવા તેમણે પિતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy