SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ શીખધ ૧૫૫ કાઢિયાના કાઢ દૂર થતાં તેની ખ્યાતિ ઘણી જ વધી ગઈ. રામદાસે શીખાને કહ્યુ કે આ અમૃત સરોવર તા હરિનું મ ંદિર છે, તે પવિત્ર ધામ બનવું જોઈએ.' અહીં હરિમ ંદિર બંધાવી તેમણે પોતાનું રહેવાનું સ્થાન પણ ત્યાં જ બાંધ્યું. તે આજે ગુરુ કા મહેલ' તરીકે ઓળખાય છે. તેમણે પંજાબમાં અનેક સ્થળાએ યાત્રાળુઓના લાભાર્થે ફૂવાએ બંધાવ્યા. મુઘલ બાદશાહ અકબર તેમના ગુણાથી ઘણા જ પ્રભાવિત થયા હતા. રામદાસે મુસ્લિમ આક્રમણાના સામના કરવા શિષ્યો પાસેથી નિયમિત દક્ષિણા લેવી શરૂ કરી. શીખ પ્રજામાં એકતા સ્થાપી. રામદાસને પૃથ્વીચંદ, મહાદેવ અને અર્જુન નામના ત્રણ પુત્રો હતા. નાના પુત્ર અર્જુનના સદ્ગુણી જોઈ રામદાસે અજુ નદેવને ગુરુગાદી સોંપી. અમૃતસરના સરાવરનું કાર્ય પૂર્ણ કરવા આજ્ઞા આપી. શીખધમ ના મુખ્ય સિદ્ધાંતા સમજાવ્યા. આ જોઈ તેમના મેાટા પુત્ર પૃથ્વીચંદ ધણા જ ગુસ્સે થયે. ગુરુનું અપમાન કરી ચાલી ગયા. શીખધર્મમાં આનાથી આંતરકલહનાં ખી વવાયાં. ઈ. સ. ૧૫૮૧માં ગુરુ રામદાસનું મૃત્યુ થયું. તેમની વાણી ગ્રંથસાહેબના ચોથા મહોલ્લામાં સચવાઈ છે. ગુરુ રામદાસ પેાતાના શિષ્યોને સદાય કહેતા કે જે પેાતાને સદ્ગુરુના શિષ્ય કહેવડાવે તેણે પ્રાત:કાલમાં હરિનું ધ્યાન ધરવું. વહેલી પરોઢમાં ઉદ્યમ કરવે અમૃત સરાવરનું સ્નાન અને હરિમ ંદિરનુ દર્શન, જપ, તેના સર્વ પાપ અને દોષોને દૂર કરે છે. દરેક શિષ્યને આ ઉપદેશ પ્રમાણે કાર્ય કરવાના આદેશ હતા. ગુરુ અજુનદેવ ગુરુ રામદાસના ત્રીજા પુત્ર ગુરુ અર્જુનદેવ મહાપ્રતિભાશાળી વ્યક્તિ હતા. તેઓ શીખધર્મ ના ઇતિહાસમાં પાંચમા ગુરુ તરીકે પ્રખ્યાત છે. તેમણે પોતાના પિતા અને ગુરુના આદેશ મુજબ અમૃતસરના સરાવર અને હરમ ંદિરનું કા પૂર્ણ કર્યું. આ હરિમ ંદિર ચાર વર્ણા માટે ખુલ્લું છે તેના સૂચન રૂપે હરિમદિરની ચાર દિશામાં ચાર દરવાજા મૂકવામાં આવ્યા છે. આ હરિમદિર હાલમાં અમૃતસરમાં સુવર્ણ મંદિર તરીકે ઓળખાય છે. શીખાનુ આ પવિત્રધામ મનાય છે. આ હરિમ`દિરના ખર્ચને પહોંચી વળવા માટે તથા શીખધમ નાં અન્ય લેાકાપયેાગી કાર્ય કરવા માટે શીખાને પેાતાની આવકના દસમા ભાગ (જે સવધ તરીકે ઓળખાય છે) તે આપવાની આજ્ઞા કરી. ગુરુ અજુ નદેવે પોતાના આગળ થઈ ગયેલા ગુરુએના ઉપદેશને પ્રજા યાદ રાખી શકે તે માટે ગ્રંથસાહેબ' નામના ઉત્તમ ગ્રંથનું સોંપાદન કર્યું. તેમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy