________________
૧૫૪
ભારતીય ધર્મ
મુર અમરદાસ
અમરદાસ એ શીખધર્મના ત્રીજા ગુરુ તરીકે ઓળખાય છે. તેઓ પરમ વિષ્ણવ હતા. તેમણે ભક્તિભાવથી ગુરુ નાનક અને અંગદના ધર્મસંદેશને વ્યવસ્થિત શીખ પંથનું રૂપ આપ્યું. શીખેમાંથી પરદા પદ્ધતિ અને સતીની પ્રથા દૂર કરાવી, લંગર પ્રથાને વિકસાવી. તેમણે જે કઈ ગુરુનાં દર્શને આવે તે પિતે પિતાની જ્ઞાતિ, મેલે વગેરેને ત્યાગ કરી સામાન્ય માનવીની માફક બધા શીખોની સાથે એક જ પંગતે જમે અને ત્યાર પછી જ તેને ગુરુદર્શન થાય એ પ્રથા શરૂ કરી. આથી ગુરુના અનુયાયીઓની સંખ્યા ઝડપથી વધવા લાગી. કહેવાય છે કે તેમણે નિયમ મુજબ મુઘલ બાદશાહ અકબરને પણ લંગરમાં ભોજન કરાવ્યા બાદ દર્શન આપ્યું હતું. ગુરુએ બાદશાહ અકબરની લંગર માટે બારગામની જાગીર આપવાની ઈચ્છાને નમ્રતાપૂર્વક અસ્વીકાર કરીને જણાવ્યું કે “ગુરુનું લંગર બાદશાહના દાન ઉપર નહિ પણ સામાન્ય માણસોના દાન ઉપર નભે એ જ ઈષ્ટ છે.” ધીરેધીરે તેમણે પંજાબમાં અનેક ઠેકાણે આવાં લંગર (ભોજનાલય) શરૂ કર્યા. શીખ પંથને ઝડપી વિકાસ થયો. બાદશાહ અકબર પણ તેમના કાર્યથી ઘણે પ્રસન થયા. તેમણે પિતાના જમાઈના સંસ્કાર અને ભક્તિથી પ્રસન્ન થઈ ગુરુગાદી તેમને સેપી ઈ. સ. ૧૫૭૪માં વાહિગુરુ સતનામનું રટણ કરતાં કરતાં દેહ ત્યાગ કર્યો. તેમની વાણી ગ્રંથસાહેબના ત્રીજા મહોલ્લામાં સચવાઈ છે. ગુરુ રામદાસ (ઈ. સ. ૧૫૩૪-૧૫૮૧)
ચોથા ગુરુ રામદાસનું મૂળ નામ જેઠાજી હતું. તેઓ અમરદાસના જમાઈના સંબંધે ગુરુ બન્યા ન હતા, પણ તેમની સતનામ તરફની ભક્તિ અને ગુણે જોઈ તેમને ગુરુ અમરદાસે ગુરુ ગાદી સોંપી હતી. શીખ ધર્મના વિકાસમાં તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો છે. તેઓ સ્વભાવે ઘણા જ વિનમ્ર હતા. કહેવાય છે કે એક વખત ગુરુ નાનકના પુત્ર શ્રીચંદ કે જેમણે પોતાને અલગ ઉદાસી સંપ્રદાય
સ્થાપેલે તે રામદાસને મળવા આવ્યા. રામદાસે બહુ જ પ્રેમથી તેમનું સ્વાગત કર્યું. વાતવાતમાં શ્રીચંદે ગુરુ રામદાસને લાંબી દાઢી રાખવાનું કારણ પૂછતાં ગુરુ રામદાસે કહ્યું કે તે આપનાં પવિત્ર ચરણ સાફ કરવા માટે છે. એમ કહી પિતાની દાઢીથી શ્રીચંદના પગ સાફ કરવા લાગ્યા.” શ્રીચંદ આથી ઘણું જ શરમાઈ ગયા. તેમના પરમ ભક્ત બની ગયા.
ગુરુ રામદાસે પિતાના ગુરુ અમરદાસની આજ્ઞા પ્રમાણે તળાવ અમૃતસર બંધાવવાનું શરૂ કર્યું. કહેવાય છે કે તેના પવિત્ર જળમાં સ્નાન કરવાથી એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org