________________
શીખધર્મ
૧૪૯
અને ક્રૂર બન્યા હતા. બીજી બાજુ સમાજમાંથી શ્રદ્ધાનું બળ નાશ પામ્યું હતું. સત્ય, ન્યાય અને ધર્મ જેવી સંભાવનાને સદંતર લેપ થયો હતો. જાદુ, ચમત્કાર, વહેમ, અંધશ્રદ્ધા, ધર્માધતા, કલેશ, ઈર્ષ્યા વગેરેનું સમાજમાં પ્રબળ સામ્રાજ્ય સ્થપાયું હતું. ધર્મગુરુઓ ધર્મ અને શાસ્ત્રના નામે અનેક અનિષ્ટો આચરતા હતા. નાતજાતનાં બંધને જટિલ બન્યાં હતાં. સમાજને ઉપલા વર્ગ ધર્મને સાચવવાના નામે ધર્મના દ્વાર બંધ કરી સાંપ્રદાયિકતામાં અટવાઈ ગયું હતું. બીજી બાજુ મુસ્લિમ ઇસ્લામના પ્રસારને માટે અનેક મંદિરો અને પ્રતિમાઓનું ખંડન કરતા હતા. ટૂંકમાં સમાજમાં ચારેબાજુ ભય અને હિંસાનું તાંડવનૃત્ય ચાલી રહ્યું હતું. હિંદુ અને મુસ્લિમોને સંઘર્ષ ધર્મના નામે વ્યાપક પ્રમાણમાં વિસ્તર્યો હતો.
આ સમયે ભારતીય સમાજમાં એક બાજુ ધર્મના નામે અનેક નિર્દોષ મનુષ્યનાં લેહી રેડાતાં હતાં, ચારેબાજુ ભયંકર રક્તપાત ચાલી રહ્યો હતો તે બીજી બાજુ કેટલાક સંતે ધર્માધતામાં ડૂબેલી પ્રજાને ઈશ્વરના નામે લેહી રેડાતું બંધ કરવા સક્રિય બન્યા હતા. રામ અને રહીમ એક છે એવા એકેશ્વરવાદને પ્રચાર કરતા હતા. આવા સતેમાં રામાનંદ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેમણે પોતાના શિષ્યમંડળમાં સમાજના નીચલા વર્ગો જેવા કે અત્ય, શદ્રો વગેરેને સ્થાન આપી હલકા ગણતા માણસે માટે ધર્મનાં દ્વાર ખોલી નાખ્યાં. સ્ત્રીઓને ભક્તિમાર્ગે વાળી તેમની સ્થિતિ સુધારી.
સ્વામી રામાનંદના શિષ્યોમાં કબીર અને નાનક મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. કબીરે જાતિભેદ, મૂર્તિપૂજા, તીર્થ, વ્રત વગેરેની અવગણના કરી પિતાની ઉત્તમ વાણુથી સમાજમાં એકેશ્વરવાદને પ્રચાર કર્યો. તેમણે જણાવ્યું કે “સઘળા ભેદ ભગવાનમાં મુક્ત થઈ જાય છે. સર્વ સાથેના યોગથી પરિપૂર્ણ સત્ય અને સાર્થકતા મળે છે. કબીરની આ વિચારધારાને નાનકે આગળ વધારી. નાનકે કઈ ન સંપ્રદાય કે ધર્મ પ્રવર્તાવ્યો નથી પરંતુ ધર્મના પાયાના સિદ્ધાંતોને પુનઃ સ્થાપિત કરવા પ્રયત્ન કર્યો છે. ઈશ્વર કઈ એક કેમ નથી પણ સર્વને છે એમ જણાવી તેમણે સત ધર્મને ઉપદેશ કર્યો. તેમને ઉપદેશ સમય જતાં શીખ ધર્મના નામે ઓળખાયો. “શીખ” શબ્દ સિફખ સંસ્કૃત શબ્દ, શિષ્ય,” ઉપરથી ઊતરી આવ્યું છે. શીખ એટલે શિષ્ય. આમાંથી શીખધર્મને વિકાસ થયે. આ ધર્મમાં જણાવ્યું છે કે સતની ઓળખ ગુરુથી થાય છે ને તે માટે સત્યનિષ્ઠ ગુરુનું શરણ સ્વીકારવું જોઈએ. વીરતા, સ્વાર્પણ અને ગુરુભક્તિ માટે શીખ પ્રજા ભારતમાં ખૂબ સન્માનીય છે. આ સર્વના પાયામાં ગુરુ નાનકનું મહાન કાર્ય રહેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org