________________
૧૪૬
ભારતીય ધર્મો સાહિત્યના ક્ષેત્રે પણ બૌદ્ધધર્મો મહત્વનો ફાળો આપ્યો છે. ગૌતમના જીવનના “મહાભિનિષ્ક્રમણ” તરીકે ઓળખાતા પ્રસંગે તે અનેક કવિઓને પ્રેરણું આપી છે. દ્ધિધર્મના પિટક ગ્રંથે અને જાતક કથાઓ ભારતીય સાહિત્યને અમૂલ્ય વારસે છે. જાતક કથાઓમાં ગૌતમબુદ્ધના પૂર્વજીવનની અનેક કથાઓ આલેખવામાં આવી છે. બૌદ્ધધર્મ અશ્વઘોષ જેવા કવિઓ અને વસુમિત્ર તેમ જ દિગૂનાગ જેવા તત્વજ્ઞાનીઓની વિશ્વને ભેટ આપી છે.
બૌદ્ધધર્મને ફેલાવવામાં ભારતીય ભિક્ષુઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. તેમણે ગહન સમુદ્રો, વિશાળ જંગલ, ધખતાં રણે અને દુર્ગમ પર્વતમાળાઓ પાર કરી ભારત બહાર બૌદ્ધધર્મને ફેલાવ્યો. આના પરિણામે યુઆન શુઆંગ, ફાહીયાન, મેગેસ્થિનિસ જેવા અનેક વિદ્વાને ભારતમાં આવી બદ્ધધર્મના અભ્યાસી બન્યા. તેઓએ પોતાના દેશની પ્રજાને ભારતીય સંસ્કૃતિનાં દર્શન કરાવ્યાં. બોદ્ધધર્મના લીધે અને દેશના લે કે ભારત તરફ આકર્ષાયા.
ટૂંકમાં બદ્ધધર્મને લીધે ભારતીય પ્રજામાં અહિંસા અને સદાચારની ભાવના વિકસી. ભારતમાંથી હિંસાત્મક યજ્ઞોને અસ્ત થયે. બૌદ્ધધર્મના પ્રતાપે ભારતને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતાં સાંચી જેવાં સ્થાપત્યે મળ્યાં. અજટા જેવા કલામંડપ અસ્તિત્વમાં આવ્યા. સુંદર બૌદ્ધ પ્રતિમાઓનું સર્જન થયું. શિલ્પવૃષ્ટિની સમૃદ્ધિ વધી. આમ ભારતના સંસ્કાર વારસાને સમૃદ્ધ કરવામાં ગૌતમબુદ્ધ અને
ધર્મને ફાળે અમૂલ્ય છે. શૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં સામ્યતા અને ભેદ
બૌદ્ધ ધર્મનું જૈનધર્મ સાથેનું સામ્ય નીચેની બાબતમાં જણાય છે: (૧) અહિંસા (બોમાં પશુબલિને નિષેધ સહિત). (૨) વેદના પ્રમાણને બંને સ્વીકારતા નથી. (૩) ધાર્મિક ઉપદેશ માટે બંને ધર્મો લેકભાષાને ઉપયોગ કરે છે, (ઈબંનેના ધર્મ પ્રવર્તકે ક્ષત્રિયુકૂળમાં જન્મેલા હોવાથી સ્વભાવે વીર
હેવા છતાં ત્યાગ અને તપથી મહાન વંદનીય બન્યા છે. on બંને ધર્મે ઈશ્વરને અસ્વીકાર કરે છે અને જગતને અનાદિ ગણે છે. (૬) બંનેમાં કર્મો ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. આથી તેઓ
પુનર્જન્મમાં માને છે. બંને ધર્મમાં ધર્મ અને સંધનું મહત્ત્વ સ્વીકારી શુદ્ધ આચાર ઉપર ભાર મૂકવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org